મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત: મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા એસએમસીના ધામા: ટંકારાના બંગાવડી પાસેથી 3072 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા, રાજકોટના બે સહિત 8 ની શોધખોળ મોરબીના યુવાન અને તેના મિત્રો સાથે વિદેશ ટુરની ફેમિલી ટિકિટના નામે 15.47 લાખની છેતરપિંડી વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત આમ કેમ કહેવું સલામતીની સવારી એસટી અમારી: મોરબી નજીક ટ્રેક્ટર લોડરમાં એસટીની બસ ધડાકાભેર અથડાઈ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ મોરબી મહાપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે એક વર્ષમાં 550 કરોડના વિકાસ કામો કરાયા: કમિશ્નર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી સમજણ સાથેનું જ્ઞાન દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે પ્રાથર્ના: શક્તિસિંહ ગોહિલ


SHARE











માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી સમજણ સાથેનું જ્ઞાન દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે પ્રાથર્ના: શક્તિસિંહ ગોહિલ

મોરબીમાં દર વર્ષે મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આજે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા અધ્યક્ષ સ્થાને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી સમજણ સાથેનું જ્ઞાન દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે પ્રાથર્ના કરેલ છે.

મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓવિવિધ ક્ષેત્રે ગૌરવ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહીલ હાજર રહેશે તે ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાપ્રદ્યુમનસિંહરિવાબા જાડેજા તેમજ માજી મંત્રી હકુભા જાડેજામોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ એન. જાડેજા સહિતના રાજપૂત સમાજના રાજકીય-સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

ત્યાર બાદ ધારાસભ્યો અને રાજ્ય સભાના સાંસદ દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના અધ્યક્ષ રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યુ હતુ કે માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી પરંતુ સમજણ સાથેનું જ્ઞાન સમાજના દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે માતાજીને પ્રાથર્ના કરેલ છે. તેમજ આ તકે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા આંદોલન હતું ત્યારે લોકો એકત્રિત થયા હતા અને તે વખતે સમાજની એકતા અને સયંમ જે સમાજના લોકોએ બતાવ્યો હતો તેને પણ યાદ કર્યો હતો. 






Latest News