મોરબીમાં અસહાય વૃધ્ધ મહિલાને વૃધ્ધાશ્રમ ખાતે પહોંચાડતી સી-ટીમ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો મોરબીમાં થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને પિતા દ્વારા યોજાયેલ કેમ્પમાં 76 લોકોએ કર્યું રક્તદાન વાંકાનેરના કણકોટ ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતા શખ્સો ઉપર એલસીબીની રેડ: 55 લાખની મુદ્દામાલ કબજે મોરબીના મોટીવાવડી ગામે વાડીની ઓરડીમાંથી 2016 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જીલ્લામાં વસ્તી ગણતરીના કામમાંથી સરકારી શાળાના શિક્ષકોને મુક્તિ આપવા આપની માંગ મોરબીમાં દેશી-વિદેશી દારૂની જુદીજુદી 4 રેડ રાજકોટના વૃદ્ધે બીમારીથી કંટાળીને વાંકાનેરમાં કૌટુંબિક ભાઈના ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી સમજણ સાથેનું જ્ઞાન દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે પ્રાથર્ના: શક્તિસિંહ ગોહિલ


SHARE











માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી સમજણ સાથેનું જ્ઞાન દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે પ્રાથર્ના: શક્તિસિંહ ગોહિલ

મોરબીમાં દર વર્ષે મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આજે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા અધ્યક્ષ સ્થાને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી સમજણ સાથેનું જ્ઞાન દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે પ્રાથર્ના કરેલ છે.

મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓવિવિધ ક્ષેત્રે ગૌરવ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહીલ હાજર રહેશે તે ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાપ્રદ્યુમનસિંહરિવાબા જાડેજા તેમજ માજી મંત્રી હકુભા જાડેજામોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ એન. જાડેજા સહિતના રાજપૂત સમાજના રાજકીય-સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

ત્યાર બાદ ધારાસભ્યો અને રાજ્ય સભાના સાંસદ દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના અધ્યક્ષ રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યુ હતુ કે માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી પરંતુ સમજણ સાથેનું જ્ઞાન સમાજના દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે માતાજીને પ્રાથર્ના કરેલ છે. તેમજ આ તકે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા આંદોલન હતું ત્યારે લોકો એકત્રિત થયા હતા અને તે વખતે સમાજની એકતા અને સયંમ જે સમાજના લોકોએ બતાવ્યો હતો તેને પણ યાદ કર્યો હતો. 






Latest News