હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો મોરબી રવાપરના ગામના માજી સરપંચ દ્વારા દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ ટંકારાના લજાઈ ગામે ભાગમાં લીધેલ સમાનમાંથી બે પાટિયા માંગતા યુવાનને માર પડ્યો દંપતી ખંડિત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે કાર ચાલકે ફ્રૂટની લારીને ઉડાવતા પતિનું મોત, પત્ની સારવારમાં મોરબીના યુવાને ઓનલાઈન 100 કુર્તિ મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી ! વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઓ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઓ.નો વિદાય સમારોહ યોજાયો મોરબી: શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા
Breaking news
Morbi Today

માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી સમજણ સાથેનું જ્ઞાન દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે પ્રાથર્ના: શક્તિસિંહ ગોહિલ


SHARE















માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી સમજણ સાથેનું જ્ઞાન દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે પ્રાથર્ના: શક્તિસિંહ ગોહિલ

મોરબીમાં દર વર્ષે મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આજે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા અધ્યક્ષ સ્થાને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી સમજણ સાથેનું જ્ઞાન દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે પ્રાથર્ના કરેલ છે.

મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓવિવિધ ક્ષેત્રે ગૌરવ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહીલ હાજર રહેશે તે ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાપ્રદ્યુમનસિંહરિવાબા જાડેજા તેમજ માજી મંત્રી હકુભા જાડેજામોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ એન. જાડેજા સહિતના રાજપૂત સમાજના રાજકીય-સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

ત્યાર બાદ ધારાસભ્યો અને રાજ્ય સભાના સાંસદ દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના અધ્યક્ષ રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યુ હતુ કે માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી પરંતુ સમજણ સાથેનું જ્ઞાન સમાજના દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે માતાજીને પ્રાથર્ના કરેલ છે. તેમજ આ તકે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા આંદોલન હતું ત્યારે લોકો એકત્રિત થયા હતા અને તે વખતે સમાજની એકતા અને સયંમ જે સમાજના લોકોએ બતાવ્યો હતો તેને પણ યાદ કર્યો હતો. 




Latest News