મોરબીમાં અમરનાથ અને વૈષ્ણવદેવી યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા યુવાનોનું સ્વાગત કરાયું
માળીયા(મી) તાલુકાના બગસરા ગામ પંચાયત કચેરીએ અધિકારીએ કરી મુલાકાત
SHARE









માળીયા(મી) તાલુકાના બગસરા ગામ પંચાયત કચેરીએ અધિકારીએ કરી મુલાકાત
મોરબી જીલ્લા તંત્ર દ્વારા આજરોજ માળીયા (મી) તાલુકાના બગસરા ગામે મુલાકાત કરી હતી અને મળતી માહિતી અનુસાર ગામ પંચાયત કચેરી ખાતે સમસ્યા વિશે માહિતી સાંભળી હતી અને બગસરા પ્રાથમિક શાળાની તેમજ આંગણવાડીની મુલાકાત કરી હતી.
આ તકે ગામ ના તલાટી કમ મંત્રી તથા ગામ પંચાયત ટીમ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ અધિકારી એ ચાદીપુરા વાઈરસનો ફેલાવોનો થાય તે માટે સ્વછતા જાળવણી કરવી અને પાણી ભરેલા ખાડામાં ભુકી નાખી દેવા સુચનો આપ્યા હતા અને ગામ પંચાયત દ્વારા તેમજ ગામના અગ્રણીએ તંત્રને અનેક રજુઆત કરીને સમસ્યાઓનો ઢગલો થઈ ગયો હતો. જેમાં પીવાનુ પાણી પુરતુ આવતું નથી, ભાવપરથી બગસરા ગામને જોડતો રસ્તા ભયંકર હાલત અને ખાડા પડી ગયા છે, ગામના વિધાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે તેમના સમયે એસટી બસની સુવિધા આપવામાં આવે, ગામમાં જુની જર્જરીત પાણીના સંપ અને ઊચી ટાંકી છે પડસે તો કોની જવાબદારી કોની..?
ગામમાં વીજતંત્ર દ્વારા નીયમીત વિજળી મળતી નથી અને રજુઆત કરવા છતાં પી જી વી સી એલ કચેરી પીપળીયા દ્વારા ગામ માં શાળા ઉપર ખુલા તાર અને પ્લોટ વિસ્તાર માં નવા પોલ નાખવા અને જર્જરીત પોલ બદલાવવા આવે, બગસરા ગામ પંચાયત ની હદમાં આવતી સરકારી પડતર ખરાબા અને ગોચરમાં માં મીઠા ઉદ્યોગપતિ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે મંજૂરી વગર રસ્તા બનાવી લીધેલા છે તેમના મીઠા ભરેલા ટ્રકો ચલાવવા માટે ઓવરલોડ ભારે વાહનો અને તાલપત્રી વગર ચાલતાને બંધ કરવામાં આવે, બગસરા ગામની હદમાં સરકારી જમીન હોય કે ખરાબાની જમીન કે પછી ગોચરની જમીનમાં મીઠા ઉદ્યોગપતિ દ્વારા ગેરકાયદેસર રીતે કબજા કરી દબાણ દૂર કરવા અનેક રજૂઆતો કરી પણ કોઈ કાર્યવાહી આજ દિન સુધી થયેલ નથી
