મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા કૌભાંડ આરોપી જય દેત્રોજાની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના સરતાનપર રોડ ઉપર ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી મોરબી તાલુકા પંચાયતની એક-વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપ અને વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ મોરબીના શનાળા રોડે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 5 પકડાયા: આઈડી આપનારની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં વાઇ આવતા પડી ગયેલ સિક્યુરિટી ગાર્ડ યુવાનનું સારવાર લીધા બાદ મોત


SHARE













વાંકાનેર નજીક કારખાનામાં વાઇ આતા પડી ગયેલ સિક્યુરિટી ગાર્ડ યુવાનનું સારવાર લીધા બાદ મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાનને વાઇ આવતા પડી ગયો હતો જેથી તેને નાકમાં ઇજા થયેલ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી પરત આવીને તે સિરામિક કારખાનામાં સિક્યુરિટીના રૂમની અંદર સૂતો હતો. ત્યાર બાદ તે ઉઠ્યો ન હોવાથી મૃત્યુ પામેલા યુવાનના પરિવારજન તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવેલ છે અને વીસેરા પણ લેવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ વરમોરા યુનિટ-3 માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અને ત્યાં સિક્યુરિટીના રૂમમાં રહેતો સદાશિવ ચંદ્રસિંહ મેવાડા જાતે રાજપૂત (32) નામનો યુવાન મારુતિ માઈક્રોન કારખાનાની મેન ગેટ સિક્યુરિટીના રૂમમાં હતો ત્યારે ત્યાં તેને વાઇ આવતા તે પડી ગયો હતો જેથી તે યુવાનને નાકના ભાગે ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને ત્યાંથી પરત આવીને તે વરમોરા સીરામીક યુનિટ-3 ના સિક્યુરિટી રૂમમાં જઈને ત્રણ વાગ્યે સૂતો હતો અને રાત્રિના આઠેક વાગ્યે તેને જગાડતા છતાં તે ઉઠ્યો ન હતો. જેથી તેના પરિવારજનો તાત્કાલિક તેને લઈને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેના મૃતદેહને ફોરેન્સી પીએમમાં લઈ જવામાં આવેલ છે અને તેના વીસેરા પણ લેવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને માથામાં ઇજા થયેલ હોવાથી મોતનું કારણ જાણવા માટેની કવાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે.






Latest News