વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં વાઇ આવતા પડી ગયેલ સિક્યુરિટી ગાર્ડ યુવાનનું સારવાર લીધા બાદ મોત


SHARE

















વાંકાનેર નજીક કારખાનામાં વાઇ આતા પડી ગયેલ સિક્યુરિટી ગાર્ડ યુવાનનું સારવાર લીધા બાદ મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાનને વાઇ આવતા પડી ગયો હતો જેથી તેને નાકમાં ઇજા થયેલ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી પરત આવીને તે સિરામિક કારખાનામાં સિક્યુરિટીના રૂમની અંદર સૂતો હતો. ત્યાર બાદ તે ઉઠ્યો ન હોવાથી મૃત્યુ પામેલા યુવાનના પરિવારજન તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવેલ છે અને વીસેરા પણ લેવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ વરમોરા યુનિટ-3 માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અને ત્યાં સિક્યુરિટીના રૂમમાં રહેતો સદાશિવ ચંદ્રસિંહ મેવાડા જાતે રાજપૂત (32) નામનો યુવાન મારુતિ માઈક્રોન કારખાનાની મેન ગેટ સિક્યુરિટીના રૂમમાં હતો ત્યારે ત્યાં તેને વાઇ આવતા તે પડી ગયો હતો જેથી તે યુવાનને નાકના ભાગે ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને ત્યાંથી પરત આવીને તે વરમોરા સીરામીક યુનિટ-3 ના સિક્યુરિટી રૂમમાં જઈને ત્રણ વાગ્યે સૂતો હતો અને રાત્રિના આઠેક વાગ્યે તેને જગાડતા છતાં તે ઉઠ્યો ન હતો. જેથી તેના પરિવારજનો તાત્કાલિક તેને લઈને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેના મૃતદેહને ફોરેન્સી પીએમમાં લઈ જવામાં આવેલ છે અને તેના વીસેરા પણ લેવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને માથામાં ઇજા થયેલ હોવાથી મોતનું કારણ જાણવા માટેની કવાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે.




Latest News