મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડે ગટર જીવલેણ સાબિત થાય તે પહેલા કામ કરો: વેપારી


SHARE







મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડે ગટર જીવલેણ સાબિત થાય તે પહેલા કામ કરો: વેપારી

મોરબીના જુદા જુદા વિસ્તારમાં ઘણી જગ્યાએ ગટરની કુંડીઓના ઢાંકણા તૂટી ગયા છે અથવા તો ઢાંકણા ન હોવાના કારણે ગટરની કુંડીઓ ખુલી પડી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેને લઈને વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નગરપાલિકા તંત્ર દ્વારા ગટરના ઢાંકણા ફિટ કરવા માટેની કાર્યવાહી હાથ ઉપર લેવામાં આવી છે જોકે મોરબી શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જીવનદીપ હોસ્પિટલની સામેના ભાગમાં રસ્તા ઉપર નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે તે પ્રકારની ગટર આવેલ છે અને ત્યાં લોખંડની જાળી મૂકવામાં આવી છે જો કે, તે જાળી પણ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયેલ છે જેથી કરીને ગમે ત્યારે ચોમાસામાં વરસાદ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ રાહદારી અથવા તો વાહન ચાલક માટે આ ગટર જીવલેણ સાબિત થઈ શકે તેવી શક્યતાઓ છે. જેથી જવાબદાર અધિકારી દ્વારા ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ સહિતના લોકોની માંગણી ઉઠી છે.






Latest News