આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડે ગટર જીવલેણ સાબિત થાય તે પહેલા કામ કરો: વેપારી


SHARE













મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડે ગટર જીવલેણ સાબિત થાય તે પહેલા કામ કરો: વેપારી

મોરબીના જુદા જુદા વિસ્તારમાં ઘણી જગ્યાએ ગટરની કુંડીઓના ઢાંકણા તૂટી ગયા છે અથવા તો ઢાંકણા ન હોવાના કારણે ગટરની કુંડીઓ ખુલી પડી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેને લઈને વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નગરપાલિકા તંત્ર દ્વારા ગટરના ઢાંકણા ફિટ કરવા માટેની કાર્યવાહી હાથ ઉપર લેવામાં આવી છે જોકે મોરબી શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જીવનદીપ હોસ્પિટલની સામેના ભાગમાં રસ્તા ઉપર નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે તે પ્રકારની ગટર આવેલ છે અને ત્યાં લોખંડની જાળી મૂકવામાં આવી છે જો કે, તે જાળી પણ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયેલ છે જેથી કરીને ગમે ત્યારે ચોમાસામાં વરસાદ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ રાહદારી અથવા તો વાહન ચાલક માટે આ ગટર જીવલેણ સાબિત થઈ શકે તેવી શક્યતાઓ છે. જેથી જવાબદાર અધિકારી દ્વારા ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ સહિતના લોકોની માંગણી ઉઠી છે.






Latest News