મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડે ગટર જીવલેણ સાબિત થાય તે પહેલા કામ કરો: વેપારી


SHARE













મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડે ગટર જીવલેણ સાબિત થાય તે પહેલા કામ કરો: વેપારી

મોરબીના જુદા જુદા વિસ્તારમાં ઘણી જગ્યાએ ગટરની કુંડીઓના ઢાંકણા તૂટી ગયા છે અથવા તો ઢાંકણા ન હોવાના કારણે ગટરની કુંડીઓ ખુલી પડી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેને લઈને વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નગરપાલિકા તંત્ર દ્વારા ગટરના ઢાંકણા ફિટ કરવા માટેની કાર્યવાહી હાથ ઉપર લેવામાં આવી છે જોકે મોરબી શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જીવનદીપ હોસ્પિટલની સામેના ભાગમાં રસ્તા ઉપર નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે તે પ્રકારની ગટર આવેલ છે અને ત્યાં લોખંડની જાળી મૂકવામાં આવી છે જો કે, તે જાળી પણ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયેલ છે જેથી કરીને ગમે ત્યારે ચોમાસામાં વરસાદ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ રાહદારી અથવા તો વાહન ચાલક માટે આ ગટર જીવલેણ સાબિત થઈ શકે તેવી શક્યતાઓ છે. જેથી જવાબદાર અધિકારી દ્વારા ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ સહિતના લોકોની માંગણી ઉઠી છે.






Latest News