મોરબીના ખાખરાળાનું ખમીર: ડાંગર કુળની અમર શૌર્યગાથા અને ભવ્ય સુરપુરા ધામ પાળીયાનો પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હળવદના સુંદરગઢ ગામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ લેવા ખેડૂતોએ કેરબાની લાઈનો લગાવી મોરબી :પુરુષોત્તમ માસ સ્પેશ્યિલ બાળકો માટે ઓનલાઇન કેમ્પ તદ્દન ફ્રી, બાળકના હૃદયને કૃષ્ણના પ્રેમ અને જ્ઞાનથી ખીલવા દો નીટનું પેપર ફૂટવા મુદે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ-યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન મોરબીમાં ત્રણ રેડમાં દારૂની નવ બોટલ ઝડપાઇ, 200 લિટર દારૂ સાથે 3 પકડાયા: માળિયામાંથી 800 લિટર આથો ઝડપાયો વાંકાનેરના દલડી ગામ પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને આધેડને બે શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યો મોરબીના બેલા ગામ પાસે સીરામીક કારખાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રભારી સચિવ હાલ ઢવાણા પહોંચ્યા, લાપતા થયેલા આઠ વ્યક્તિઓનો હજુ પતો નહીં: રેસ્ક્યુની કામગીરી હાલ બંધ કરાઇ


SHARE











મોરબી જિલ્લાના પ્રભારી સચિવ હાલ ઢવાણા પહોંચ્યા, લાપતા થયેલા આઠ વ્યક્તિઓનો હજુ પતો નહીં: રેસ્ક્યુની કામગીરી હાલ બંધ કરાઇ

મોરબી જિલ્લાના ઢવાણા ગામ પાસે કોઝવેમાં ટ્રેક્ટર ગઈકાલે રવિવારે રાત્રિના નવ એક વાગ્યે તણાયેલ ટ્રેકટર સાથે લાપતા થયેલા લોકોને શોધવા માટે કવાયત હજુ પણ ચાલુ હતી જો કે, કોઇનો પત્તો લાગેલ નથી અને સતત કામગીરી કરતા ફાયર ફાયટરોને રેસ્ટ મળી રહે તે માટે હાલમાં રેસ્કયુનું કામ બંધ કરવામાં આવેલ છે અને આ ઘટનાની ગંભીરતાને સમજીને મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષાચંદ્ર સ્થળ ઉપર દોડી આવ્યા હતા ત્યારે કલેકટર સહિતના તમામ અધિકારી હાજર રહ્યા હતા.

વધુમાં અધિકારી પાસેથી જાણવા મળ્યુ હતુ કે, એનડીઆરએફની ટીમ સહિતની ટીમો દ્વારા જે રેસ્કયુ કરવામાં આવી રહ્યુ હતુ તે કામગીરી હાલમાં બંધ કરાઇ છે અને કાલે સવારથી ફરી લાપતા લોકોની શોધવાનું શરૂ કરાશે અને આ દુર્ઘટના સમયે ટ્રેક્ટરમાં બેઠેલા લોકો પૈકી પાંચ બાળક, બે મહિલા સહિત આઠ લોકોનો સોમવારે રાતે આઠ વાગ્યા સુધી કોઇ પતો લાગ્યો નથી અને એસડીઆરએફની ટીમને મોરબી મોકલવામાં આવી છે અને કાલે રેસેકયુનું કામ એનડીઆરએફ, હળવદ ફાયર અને ટીકરના તરવૈયાઓની મદદથી શરૂ કરાશે અને લાપતા લોકોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવશે






Latest News