જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રભારી સચિવ હાલ ઢવાણા પહોંચ્યા, લાપતા થયેલા આઠ વ્યક્તિઓનો હજુ પતો નહીં: રેસ્ક્યુની કામગીરી હાલ બંધ કરાઇ


SHARE













મોરબી જિલ્લાના પ્રભારી સચિવ હાલ ઢવાણા પહોંચ્યા, લાપતા થયેલા આઠ વ્યક્તિઓનો હજુ પતો નહીં: રેસ્ક્યુની કામગીરી હાલ બંધ કરાઇ

મોરબી જિલ્લાના ઢવાણા ગામ પાસે કોઝવેમાં ટ્રેક્ટર ગઈકાલે રવિવારે રાત્રિના નવ એક વાગ્યે તણાયેલ ટ્રેકટર સાથે લાપતા થયેલા લોકોને શોધવા માટે કવાયત હજુ પણ ચાલુ હતી જો કે, કોઇનો પત્તો લાગેલ નથી અને સતત કામગીરી કરતા ફાયર ફાયટરોને રેસ્ટ મળી રહે તે માટે હાલમાં રેસ્કયુનું કામ બંધ કરવામાં આવેલ છે અને આ ઘટનાની ગંભીરતાને સમજીને મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષાચંદ્ર સ્થળ ઉપર દોડી આવ્યા હતા ત્યારે કલેકટર સહિતના તમામ અધિકારી હાજર રહ્યા હતા.

વધુમાં અધિકારી પાસેથી જાણવા મળ્યુ હતુ કે, એનડીઆરએફની ટીમ સહિતની ટીમો દ્વારા જે રેસ્કયુ કરવામાં આવી રહ્યુ હતુ તે કામગીરી હાલમાં બંધ કરાઇ છે અને કાલે સવારથી ફરી લાપતા લોકોની શોધવાનું શરૂ કરાશે અને આ દુર્ઘટના સમયે ટ્રેક્ટરમાં બેઠેલા લોકો પૈકી પાંચ બાળક, બે મહિલા સહિત આઠ લોકોનો સોમવારે રાતે આઠ વાગ્યા સુધી કોઇ પતો લાગ્યો નથી અને એસડીઆરએફની ટીમને મોરબી મોકલવામાં આવી છે અને કાલે રેસેકયુનું કામ એનડીઆરએફ, હળવદ ફાયર અને ટીકરના તરવૈયાઓની મદદથી શરૂ કરાશે અને લાપતા લોકોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવશે






Latest News