મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠારીયાથી ટંકારા જતા ગાડા માર્ગમાં ઇનોવા ગાડી તણાઇ, યુવાનનો આબાદ બચાવ


SHARE











મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠારીયાથી ટંકારા તરફ જવાના ગાડા માર્ગ ઉપર આજે સાંજે ઇનોવા ગાડી લઈને પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડી પાણીમાં તણાઇ ગયેલ હતી જો કે, યુવાનની ગાડીમાંથી સમયસર બહાર આવી જતા તેનો બચાવ થયેલ છે.

વાંકાનેરના મહિકા ગામથી જામનગર સસરાના ઘરે જતા  પ્રકાશભાઇ નથુભાઈ ચાવડા (30) પોતાની ઈનોવા ગાડી લઈને જામનગર તરફ જતા હતા. ત્યારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી ટંકારા તરફ જવાના ગાડા માર્ગ ઉપરથી પ્રકાશભાઈ પોતાની ઇનોવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર પાણી ભરેલ હોય કોઝવેમાં પાણી વધારે હોવાથી તેની ગાડી કોઝવેમાં નીચે ઉતરી ગઈ હતી જોકે સમયસર પ્રકાશભાઇ ચાવડા ગાડીમાંથી બહાર નીકળી ગયા હોય તેમનો આબાદ બચાવ થયેલ છે અને તેઓની ગાડી પાણીમાં તણાઈ ગઈ હતી આ અંગેની જાણ પોલીસ તથા સંબંધિત વિભાગને થતા અધિકારીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે.






Latest News