મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ અને પાલિકાઓના બાકી વીજ બિલની ઉઘરાણી માટે પહેલા વીજ કનેક્શન કાપો પછી અન્ય જગ્યાએ કાર્યવાહી કરો: મહેશભાઈ રાજકોટિયા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ડે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાંકાનેર વરીયર્સ ફાઇનલ મેચ વિનર બન્યુ મોરબી જિલ્લા પંચાયતનું 2.61 કરોડની પુરાંત વાળું 776.97 કરોડનું બજેટ મંજૂર મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાથીઓ માટે કોલેજ મેનેજમેન્ટ દ્વારા ફ્રી થેલિસિમિયા કેમ્પ મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર આવેલ નાલાની સફાઈ કરાવા માંગ મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરી જવાબદારોને દંડ કરો : કે.ડી.બાવરવા મોરબીના બાળ વૈજ્ઞાનિકની અદભૂત શોધ : કારના રૂફટોપ પર સોલાર પેનલ લગાવી “સોલાર કાર”નું અનોખું મોડેલ રજૂ કર્યું મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ‘દિશા’ સમિતિની બેઠક, જન કલ્યાણકારી યોજનાઓના અસરકાર અમલીકરણ અને તેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તાકીદ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા, વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામોમાં મચ્છુના પાણી ફરી વળતાં ખેડૂતોનો પાક સાફ


SHARE













માળીયા (મી)ના વાધરવા, વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામોમાં મચ્છુના પાણી ફરી વળતાં ખેડૂતોનો પાક સાફ

મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં મચ્છુના પાણી અને વરસાદી પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા છે જેથી કરીને ખેતરમાં કપાસ મગફળી સહિતના ઉભા પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે માળિયા તાલુકાના વાધરવા, વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામના ખેડૂતોનો પાક સો ટકા નિષ્ફળ ગયેલ છે અને ખેડૂતોએ પાક લેવા માટે કરેલ મહેનત ઉપર મચ્છુના પાણી ફરી મળ્યાં છે તેઓ નજારો જોવા મળ્યો હતો 

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ચાર દિવસથી હળવો ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદી પાણી અને તે ઉપરાંત મચ્છુ ડેમમાંથી નદીમાં છોડવામાં આવેલા પાણી માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે અને તેના કારણે ખેડૂતોને ખેતરમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને માળિયા મીયાણા તાલુકાના વાધરવા વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામના ખેડૂતોની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ અને તેમાં અધુરોમાં પૂરું મચ્છુના પાણી તેઓના ખેતરમાં ભરાઈ જવાના કારણે ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાક લેવા માટે જે મહેનત કરી હતી તે મહેનત ઉપર મચ્છુના પાણી ફરી વળીએ છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને હાલમાં ખેડૂતોને નુકસાન થયું છે તેનો વહેલી તકે સર્વે કરીને સરકાર તરફથી પૂરતું વળતર આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો અને ખેડૂત આગેવાન વ્યક્ત કરી રહ્યા છે








Latest News