ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા, વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામોમાં મચ્છુના પાણી ફરી વળતાં ખેડૂતોનો પાક સાફ


SHARE











માળીયા (મી)ના વાધરવા, વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામોમાં મચ્છુના પાણી ફરી વળતાં ખેડૂતોનો પાક સાફ

મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં મચ્છુના પાણી અને વરસાદી પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા છે જેથી કરીને ખેતરમાં કપાસ મગફળી સહિતના ઉભા પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે માળિયા તાલુકાના વાધરવા, વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામના ખેડૂતોનો પાક સો ટકા નિષ્ફળ ગયેલ છે અને ખેડૂતોએ પાક લેવા માટે કરેલ મહેનત ઉપર મચ્છુના પાણી ફરી મળ્યાં છે તેઓ નજારો જોવા મળ્યો હતો 

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ચાર દિવસથી હળવો ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદી પાણી અને તે ઉપરાંત મચ્છુ ડેમમાંથી નદીમાં છોડવામાં આવેલા પાણી માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે અને તેના કારણે ખેડૂતોને ખેતરમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને માળિયા મીયાણા તાલુકાના વાધરવા વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામના ખેડૂતોની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ અને તેમાં અધુરોમાં પૂરું મચ્છુના પાણી તેઓના ખેતરમાં ભરાઈ જવાના કારણે ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાક લેવા માટે જે મહેનત કરી હતી તે મહેનત ઉપર મચ્છુના પાણી ફરી વળીએ છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને હાલમાં ખેડૂતોને નુકસાન થયું છે તેનો વહેલી તકે સર્વે કરીને સરકાર તરફથી પૂરતું વળતર આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો અને ખેડૂત આગેવાન વ્યક્ત કરી રહ્યા છે






Latest News