મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા, વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામોમાં મચ્છુના પાણી ફરી વળતાં ખેડૂતોનો પાક સાફ


SHARE















માળીયા (મી)ના વાધરવા, વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામોમાં મચ્છુના પાણી ફરી વળતાં ખેડૂતોનો પાક સાફ

મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં મચ્છુના પાણી અને વરસાદી પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા છે જેથી કરીને ખેતરમાં કપાસ મગફળી સહિતના ઉભા પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે માળિયા તાલુકાના વાધરવા, વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામના ખેડૂતોનો પાક સો ટકા નિષ્ફળ ગયેલ છે અને ખેડૂતોએ પાક લેવા માટે કરેલ મહેનત ઉપર મચ્છુના પાણી ફરી મળ્યાં છે તેઓ નજારો જોવા મળ્યો હતો 

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ચાર દિવસથી હળવો ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદી પાણી અને તે ઉપરાંત મચ્છુ ડેમમાંથી નદીમાં છોડવામાં આવેલા પાણી માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે અને તેના કારણે ખેડૂતોને ખેતરમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને માળિયા મીયાણા તાલુકાના વાધરવા વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામના ખેડૂતોની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ અને તેમાં અધુરોમાં પૂરું મચ્છુના પાણી તેઓના ખેતરમાં ભરાઈ જવાના કારણે ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાક લેવા માટે જે મહેનત કરી હતી તે મહેનત ઉપર મચ્છુના પાણી ફરી વળીએ છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને હાલમાં ખેડૂતોને નુકસાન થયું છે તેનો વહેલી તકે સર્વે કરીને સરકાર તરફથી પૂરતું વળતર આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો અને ખેડૂત આગેવાન વ્યક્ત કરી રહ્યા છે






Latest News