મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજની મિટિંગ યોજાઇ  શિક્ષણ  તેમજ સંગઠન ઉપર ભાર મુકાયો યુદ્ધની આડ અસર: મોરબી જીલ્લામાં લાખો શ્રમિકોની રોજગારી છીનવાઈ: સિરામિક, પેપર મિલ અને પોલિપેકના અંદાજે 300 કારખાના બંધ ટંકારાના ઘુનડા (સ) ગામનો બનાવ: “તારે મંદિરે નહીં આવવું” કહીને કાકાને ચાર ભત્રીજાઓએ ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો મોરબીમાં મંજૂરી વગર ડ્રોન ઉડાવીને બનાવેલ વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરનારા વાંકાનેરના શખ્સ સામે કાર્યવાહી ટંકારાના ઓટાળા ગામ નજીક ઇકો ગાડીને ચાલકે બે બાઇકને ઉડાવ્યા: ઇજાગ્રસ્તો સારવારમાં હળવદના કવાડિયા ગામે ઘરમાંથી 26 બોટલ દારૂ ઝડપાયો: પિતા-પુત્ર સામે ફરિયાદ અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં લોહીનું ઉલ્ટી થવાથી યુવાનનું અને ટીબીની સારવારમાં મહિલાનું મોત મોરબીમાં ઠપકો આપવા ગયેલા યુવાનને બે શખ્સોએ કુહાડી બતાવીને આપી માર મારવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ) ગામનો બનાવ: “તારે મંદિરે નહીં આવવું” કહીને કાકાને ચાર ભત્રીજાઓએ ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો


SHARE













ટંકારાના ઘુનડા (સ) ગામનો બનાવ: “તારે મંદિરે નહીં આવું” કહીને કાકાને ચાર ભત્રીજાઓએ ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો

ટંકારાના ઘુનડા (સ) ગામે વૃદ્ધ તેઓના માતાજીના મંદિરે શ્રીફળ વધેરવા માટે તેને ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે અગાઉ થયેલ જમીન બાબતની બોલાચાલીનો ખાર રાખીને તેઓના ચાર ભત્રીજાઓ દ્વારા “તારે મંદિરે નહીં આવું” તેવું કહીને બોલાચાલી કરી હતી” ત્યારે વૃદ્ધે કહ્યું હતું કે “આ મંદિર તેમના પણ માતાજીનું છે” જેથી ઉશ્કેરાઈ ગયેલા ચારેય ભત્રીજાઓ દ્વારા તેને ધોકા વડે અને ઢીકા પાટીનો માર મારવામાં આવ્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં સોરડી રોડ પરશુરામ પોટરી પાસે વરિયા દેવના મંદિરની પાછળના ભાગમાં રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવ (70)એ હાલમાં દેવજીભાઈ માવજીભાઈ જાદવ, હરેશભાઇ માવજીભાઈ જાદવ, રમેશભાઈ માવજીભાઈ જાદવ તથા નરેશભાઈ માવજીભાઈ જાદવ સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ઘુનડા (સ) ગામે મહાકાળી માતાજીના મંદિરે તેઓ શ્રીફળ વધેરવા માટે થઈને ગયેલા હતા અને ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદી સાથે અગાઉ જમીન બાબતે બોલાચાલી થયેલી હતી તે બાબતનો ખા રાખીને મંદિરની બહાર શેરીમાં ફરિયાદીને કહેલ કે “તારે મંદિરે નહીં આવવું” તેમ કહેતા ફરિયાદીએ કહ્યું હતું કે, આ મંદિર તેમના પણ માતાજીનું છે જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને ગાળો આપી હતી ત્યારે આરોપી દેવજીભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદીને વાસાના ભાગે માર મારીને ઇજા કરી હતી જ્યારે હરેશભાઈ અને નરેશભાઈએ પકડી રાખતા રમેશભાઈએ ફરિયાદીને ઢિકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ચારેય વ્યક્તિઓની સામે ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News