મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત


SHARE









મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત

મોરબી શહેરના પંચાસર વિસ્તારમાં વર્ષો જૂની પાણીની પાઈપલાઈનને કારણે પાણી ન આવવાની ફરિયાદ મોરબી મહાનગરપાલિકાની કચેરી ખાતે આવતી હતી જેને દૂર કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૫.૫૭ કરોડના ખર્ચે નવી DI ની પાઇપલાઇન નું નેટવર્ક નાખવમાં આવશે.

વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટ આગામી ૩૦ વર્ષની (વર્ષ ૨૦૫૬ સુધીની) વસ્તી અંદાજે ૧,૦૦,૪૩૮ ને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. અને પંચાસર હેડવર્સથી કુલ અંદાજે ૫૮.૭ કિમી લાંબી નવી DI પાઈપલાઈન નાંખવામાં આવશે જેમાં જુદા જુદા વ્યાસ ધરાવતી પાઈપલાઈન નાખવામાં આવશે. જેથી લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે. આ પ્રોજેક્ટની કામગીરી શરુ થઇ ગયેલ છે અને ૨.૩ કિમી લાઈન નાખવાની કામગીરી પુર્ણ કરેલ છે. ખાસ કરીને આ પ્રોજેક્ટ અંતર્ગત નવા સ્લુઈસ વાલ્વ નાખવામાં આવશે જેથી પાણી પુરતા ફોર્સથી અને પુરતા જથ્થામાં લોકોને મળી રહેશે. અને રહેણાક વિસ્તારામાં વ્યક્તિદીઠ ૧૩૫ લિટર (LPCD), કામશિયલ માટે ૭૦ લિટર અને ફ્લોટિંગ વસ્તી માટે ૨૦ લિટર પાણીની દૈનિક જરૂરિયાત મુજબ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં પંચાસર વિસ્તારમાં પાઈપલાઈન નેટવર્ક જુનું થઇ ગયેલ હોવાથી તેમજ વસ્તી વધારાના કારણે છવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે કલાકો સુધી પમ્પિંગ કરવું પડે છે અને તેમ છતાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. આ નવી યોજનાથી દરેક ઘરને પૂરતા અને સુદ્ધ પીવાનું પાણી પુરતા પ્રમાણ સાથે નિયમિત પાણી મળી રહેશે.






Latest News