મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત


SHARE













મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત

મોરબી શહેરના પંચાસર વિસ્તારમાં વર્ષો જૂની પાણીની પાઈપલાઈનને કારણે પાણી ન આવવાની ફરિયાદ મોરબી મહાનગરપાલિકાની કચેરી ખાતે આવતી હતી જેને દૂર કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૫.૫૭ કરોડના ખર્ચે નવી DI ની પાઇપલાઇન નું નેટવર્ક નાખવમાં આવશે.

વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટ આગામી ૩૦ વર્ષની (વર્ષ ૨૦૫૬ સુધીની) વસ્તી અંદાજે ૧,૦૦,૪૩૮ ને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. અને પંચાસર હેડવર્સથી કુલ અંદાજે ૫૮.૭ કિમી લાંબી નવી DI પાઈપલાઈન નાંખવામાં આવશે જેમાં જુદા જુદા વ્યાસ ધરાવતી પાઈપલાઈન નાખવામાં આવશે. જેથી લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે. આ પ્રોજેક્ટની કામગીરી શરુ થઇ ગયેલ છે અને ૨.૩ કિમી લાઈન નાખવાની કામગીરી પુર્ણ કરેલ છે. ખાસ કરીને આ પ્રોજેક્ટ અંતર્ગત નવા સ્લુઈસ વાલ્વ નાખવામાં આવશે જેથી પાણી પુરતા ફોર્સથી અને પુરતા જથ્થામાં લોકોને મળી રહેશે. અને રહેણાક વિસ્તારામાં વ્યક્તિદીઠ ૧૩૫ લિટર (LPCD), કામશિયલ માટે ૭૦ લિટર અને ફ્લોટિંગ વસ્તી માટે ૨૦ લિટર પાણીની દૈનિક જરૂરિયાત મુજબ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં પંચાસર વિસ્તારમાં પાઈપલાઈન નેટવર્ક જુનું થઇ ગયેલ હોવાથી તેમજ વસ્તી વધારાના કારણે છવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે કલાકો સુધી પમ્પિંગ કરવું પડે છે અને તેમ છતાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. આ નવી યોજનાથી દરેક ઘરને પૂરતા અને સુદ્ધ પીવાનું પાણી પુરતા પ્રમાણ સાથે નિયમિત પાણી મળી રહેશે.






Latest News