મોરબી પાસે એક ક્રેટા અને બે સ્કોર્પીયો કારમાંથી રાજકોટના ચાર સહિત છ શખ્સો નશાની હાલતમાં પકડાયા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન મોરબીની બે શાળાને વધુ એક વખત મળ્યું સંસ્કૃત સન્માન મોરબીમાં શ્રી આર્યતેજ હોમિયોપેથી એન્ડ જનરલ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પ યોજાયો મોરબી-વાંકાનેર હાઇવે ઉપર કારખાને જતી યુવતીઓની પજવણી કરતા આઇસર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપીને મદદગારી કરનાર શખ્સની ધરપકડ મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ટેન્કરની કેબીનમાં આગ લાગતા વાહનમાં નુકસાન મોરબીમાં કબ્રસ્તાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

શિક્ષણ એ જ કલ્યાણ સંકુલને મોરબીના હરિહર અન્નક્ષેત્ર દ્વારા ગરીબ બાળકો માટે રાશનની સહાય


SHARE







શિક્ષણ એ જ કલ્યાણ સંકુલને મોરબીના હરિહર અન્નક્ષેત્ર દ્વારા ગરીબ બાળકો માટે રાશનની સહાય

ગુજરાતના ખેડા જિલ્લામાં મહિપતસિંહ ચૌહાણ દ્વારા અનાથ બાળકો અને ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ બનાવેલ છે જેમાં હાલ ૧૦૦૦ થી પણ વધુ બાળકો ત્યાજ રહીને અભિયાસ કરી રહ્યા છે. જેના ભોજન માટે મહિપતસિંહ ચૌહાણની ફેસબુક લાઈવ પરની વિનંતીને ધ્યાને લઈ મોરબી ખાતે અયોધ્યા પૂરી મેઈન રોડ પર આવેલ હરિહર અન્નક્ષેત્ર ના સ્થાપક સેવા મૂર્તિ જમનાદાસજી (રામને ભજી લ્યો) દ્વારા અનાથ અને ગરીબ બાળકોના ભોજન માટે શિક્ષણ એજ કલ્યાણ સંકુલને આશરે ૧ લાખથી વધુનું રાશન મોકલી આપેલ છે જેનો આભાર મહિપતસિંહ ચૌહાણ દ્વારા તેના ફેસબુક પેજ પર વ્યક્ત કરવામાં આવેલ છે અને  શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં ભોજન દાતા બનવા મોબાઈલ નંબર ૮૭૬૮૮૮૮૦૮૮ નો સંપર્ક કરવા જણાવ્યુ છે. અત્રે ઉલેખનીય છે કે,શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં ૪ માળની વિશાલ ઇમારત બનાવવામાં આવી છે. જેમાં સ્ટડી રૂમ, ડિનર હૉલ, સેમિનાર હૉલ, લાઈબ્રેરી, હોસ્ટેલ લિવિંગ રૂમ, સ્ટડી રૂમ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૦૦ રૂપિયાના માતબર દાનથી શરુ થયેલી આ શિક્ષણ સંકુલ બનાવવાની સફળ આજે આશરે ત્રણ કરોડ રૂપિયાનું સંકુલ બની ગયું છે. જ્યાં સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી અનાથ અને ગરીબ બાળકો ત્યાં જ રહીને વિનામૂલ્ય અભ્યાસ મેળવી રહ્યા છે.






Latest News