મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં વિહિપ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા બહેનોને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ ફિલ્મ બતાવવામાં આવી મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી મહિલા શક્તિઓનું કરાયું સન્માન  મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન બોડીને છેલ્લી સામાન્ય સભામાં હેતુફેર, સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી માટે અટકેલા 3.14 કરોડના કામોને બહાલી અપાઈ કચ્છ જિલ્લામાં ઘડુલી-સાંતલપુર રોડને 650.42 કરોડ રૂપિયાના ખર્ચે પેવ્ડ સોલ્ડર ટુ લેન પહોળો બનાવવાનું કામ મંજૂર: સાંસદ વિનોદભાઇ ચાવડા. મોરબી જીલ્લામાં રહેતા ધો. ૮ કે તેથી ઉપર અભ્યાસ કરતા પૂર્વ સૈનિકોના દીકરાઓ જોગ: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે હળવદના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ’, ‘સેવા સેતુ’ અને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને વાસ્મો તથા પાણી સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

શિક્ષણ એ જ કલ્યાણ સંકુલને મોરબીના હરિહર અન્નક્ષેત્ર દ્વારા ગરીબ બાળકો માટે રાશનની સહાય


SHARE













શિક્ષણ એ જ કલ્યાણ સંકુલને મોરબીના હરિહર અન્નક્ષેત્ર દ્વારા ગરીબ બાળકો માટે રાશનની સહાય

ગુજરાતના ખેડા જિલ્લામાં મહિપતસિંહ ચૌહાણ દ્વારા અનાથ બાળકો અને ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ બનાવેલ છે જેમાં હાલ ૧૦૦૦ થી પણ વધુ બાળકો ત્યાજ રહીને અભિયાસ કરી રહ્યા છે. જેના ભોજન માટે મહિપતસિંહ ચૌહાણની ફેસબુક લાઈવ પરની વિનંતીને ધ્યાને લઈ મોરબી ખાતે અયોધ્યા પૂરી મેઈન રોડ પર આવેલ હરિહર અન્નક્ષેત્ર ના સ્થાપક સેવા મૂર્તિ જમનાદાસજી (રામને ભજી લ્યો) દ્વારા અનાથ અને ગરીબ બાળકોના ભોજન માટે શિક્ષણ એજ કલ્યાણ સંકુલને આશરે ૧ લાખથી વધુનું રાશન મોકલી આપેલ છે જેનો આભાર મહિપતસિંહ ચૌહાણ દ્વારા તેના ફેસબુક પેજ પર વ્યક્ત કરવામાં આવેલ છે અને  શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં ભોજન દાતા બનવા મોબાઈલ નંબર ૮૭૬૮૮૮૮૦૮૮ નો સંપર્ક કરવા જણાવ્યુ છે. અત્રે ઉલેખનીય છે કે,શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં ૪ માળની વિશાલ ઇમારત બનાવવામાં આવી છે. જેમાં સ્ટડી રૂમ, ડિનર હૉલ, સેમિનાર હૉલ, લાઈબ્રેરી, હોસ્ટેલ લિવિંગ રૂમ, સ્ટડી રૂમ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૦૦ રૂપિયાના માતબર દાનથી શરુ થયેલી આ શિક્ષણ સંકુલ બનાવવાની સફળ આજે આશરે ત્રણ કરોડ રૂપિયાનું સંકુલ બની ગયું છે. જ્યાં સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી અનાથ અને ગરીબ બાળકો ત્યાં જ રહીને વિનામૂલ્ય અભ્યાસ મેળવી રહ્યા છે.




Latest News