હળવદની સરા ચોકડી પાસેથી ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા 35 અબોલજીવ ભરેલું આઇસર પકડ્યું: ગુનો નોંધાયો
મોરબીના સાપર ગામ નજીક દુકાને મુકેલા સીસીટીવી કેમેરાનો વેપારીએ વ્યૂ ન બદલતા સીસીટીવી કેમેરા જ તોડી નાખ્યા !
SHARE
મોરબીના સાપર ગામ નજીક દુકાને મુકેલા સીસીટીવી કેમેરાનો વેપારીએ વ્યૂ ન બદલતા સીસીટીવી કેમેરા જ તોડી નાખ્યા !
મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા વેપારીએ પોતાની દુકાનની બહારના ભાગમાં સીસીટીવી કેમેરા મુકેલ હતા અને તેનું વ્યુ બદલવા માટે થઈને વેપારીને ધમકી આપવામાં આવી હતી જોકે વેપારીએ કેમેરાનો વ્યૂ ન બદલતા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરીને દસ હજાર રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું છે જેથી વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી તાલુકાના જેતપર ગામે ગૌશાળાની સામેના ભાગમાં રહેતા કિશોરભાઈ અમૃતભાઈ રાઠોડ (35)એ હાલમાં તૈયબભાઈ મિયાણા ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે શાપર ગામની સીમમાં પાવળીયાળી કેનાલ પાસે શ્રીરામ પ્લાઝા-1 શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર 37 અને 38 ફરિયાદીની દુકાન છે અને ત્યાં દુકાનની બહારના ભાગમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલ છે આ સીસીટીવી કેમેરાનો વ્યુ બદલવા માટે થઈને આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી અને ફરિયાદીએ તેના સીસીટીવી કેમેરાનો વ્યૂ ન બદલાવતા આરોપીએ સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી અને 10,000 રૂપિયાનું નુકસાન કર્યું છે જેથી કરીને હાલમાં વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે