મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ
SHARE
મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ
મોરબીના હાલ માવતરના ઘરે રહેતી અને પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને તેના પતિ સહિત સાસરિયાંઓ દ્વારા કરિયાવર સહિતની બાબતોમાં હેરાન પરેશાન કરીને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને તેણે મોરબી જિલ્લા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં પતિ સહિત કુલ 6 લોકોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટી ખાતે માવતરના ઘરે રહેતા અને પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હેતલબેન જયકિશનભાઇ રાઠોડ (35)એ હાલમાં તેના પતિ જયકિશનભાઇ ભાણજીભાઈ રાઠોડ, સસરા ભાણજીભાઈ શીવાભાઈ રાઠોડ, સાસુ જયાબેન ભાણજીભાઈ રાઠોડ, દિયર ઉપેન્દ્રભાઈ ભાણજીભાઈ રાઠોડ, નણંદ દીપિકાબેન હરેશભાઈ પરમાર અને નણદોઈ હરેશભાઈ ગણેશભાઈ પરમાર ની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે અને કરિયાવર બાબતે તેને હેરાન પરેશાન કરી મેણા ટોણા મારતા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા તેમજ તેના પતિ દ્વારા મારકુટ કરવામાં આવતી હતી જેથી સાસરિયા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઅને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે