માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે ઘર કામ બાબતે માતા-પિતાએ ઠપકો આપતા સગીરાએ ન કરવાનું કરી નાખ્યું


SHARE













ટંકારાના સજનપર ગામે ઘર કામ બાબતે માતા-પિતાએ ઠપકો આપતા સગીરાએ ન કરવાનું કરી નાખ્યું

ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની સગીરાને માતા પિતાએ ઘર કામ બાબતે ઠપકો આપેલ હતો જેથી તેને લાગી આવતા તેણે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં મગનભાઈ જીવાણીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પપ્પુભાઈ કાલીયાભાઈ ડામોરની 16 વર્ષની દીકરી નિરાલીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે તેઓનો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મૃતક સગીરાને તેના માતા પિતાએ ઘરકામ વખતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તેને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી. અને તે સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.






Latest News