મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે ઘર કામ બાબતે માતા-પિતાએ ઠપકો આપતા સગીરાએ ન કરવાનું કરી નાખ્યું


SHARE











ટંકારાના સજનપર ગામે ઘર કામ બાબતે માતા-પિતાએ ઠપકો આપતા સગીરાએ ન કરવાનું કરી નાખ્યું

ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની સગીરાને માતા પિતાએ ઘર કામ બાબતે ઠપકો આપેલ હતો જેથી તેને લાગી આવતા તેણે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં મગનભાઈ જીવાણીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પપ્પુભાઈ કાલીયાભાઈ ડામોરની 16 વર્ષની દીકરી નિરાલીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે તેઓનો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મૃતક સગીરાને તેના માતા પિતાએ ઘરકામ વખતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તેને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી. અને તે સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.






Latest News