મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી શકત શનાળા ગામ પાસે વાડીમાંથી ચોરાયેલ બાઈકનો વીમો ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE











મોરબી શકત શનાળા ગામ પાસે વાડીમાંથી ચોરાયેલ બાઈકનો વીમો ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબી શકત શનાળાની બાજુમાં ભગતની વાડી માં રહેતા દીલીપભાઇ લાલાજીભાઇ પરમારનુ સ્પેલેન્ડર મોટર સાયકલ ચોરાઇ જતાં એચ.ડી.એફ.સી. એગ્રો જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ વીમો આપવાની ના પાડતા મોરબી ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા રાજકોટ ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરતાં કોર્ટ વીમા કંપનીને ૬૮,૮૦૫ તા. ૨૫/૯/૨૩ થી ૬ ટકાના વ્યાજ અને ૫૦૦૦ પાંચ હજાર ખર્ચના મળી ૭૩,૮૦૫ ચુકવવાનો આદેશ કરેલ છે,

આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી દીલીપભાઈનુ મોટર સાયકલ તા.૮/૪/૨૩ નાં રોજ રાત્રે બે થી પાંચ વાગ્યા સુધીમાં તેના ફળીયામાંથી ચોરાઇ ગયેલ હતું તેમનો વીમો એચ.ડી.એફ.સી. એગ્રો જનરલ ઇન્સ્યોરન્સનો હતો અને ફરિયાદીએ તમામ કાગળો રજુ કરેલ હતા પરંતુ સામાન્ય કારણ કે ફરીયાદ મોડી કરી છે તે બાના હેઠળ વીમો આપવાની ના પાડેલ હતી જેથી કોર્ટ કહયુ હતું કે ફરીયાદીની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ફરીયાદ કરવા ગયાં હતા અને પોલીસ ખાતામાંથી જણાવે છે કે, તમો આઠ દિવસ થોભી જાવ મળી જશે માટે ફરીયાદીનો કોઇ વાંક ન ગણાય ગ્રાહકે વીમો લીધેલ છે તો વીમો આપવો જોઇએ.






Latest News