વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત
SHARE
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભમાં વીજ વાયર નાખવા માટેની કામગીરી કરવામાં આવેલ છે જો કે, યોગ્ય રીતે જમીનમાં વાયર નાખવામાં આવે તેના માટે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે.
મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધી અને કડિયા બોર્ડિંગ આસપાસમાં પીજીવીસીએલ દ્વારા ભૂગર્ભમાં નાખેલા વાયર જમીનની ઉપરના ભાગમાં આવી ગયા છે. જેથી કરીને ચોમાસમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે જેથી કરીને ભૂગર્ભમાં વાયરો નિયમ મુજબ ઊંડા નાખવામાં આવે તેવી માંગ કરી છે. અને જો તંત્ર દ્વારા બેદરકારી રાખવામા આવશે અને કોઈપણ જનહાનિ થશે તો તેની સીધી જવાબદારી પીજીવીસીએલની રહેશે તેવી ચીમકી શહેર કોંગ્રેસ પ્રમુખે ઉચ્ચારી છે.