મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત


SHARE







મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભમાં વીજ વાયર નાખવા માટેની કામગીરી કરવામાં આવેલ છે જો કે, યોગ્ય રીતે જમીનમાં વાયર નાખવામાં આવે તેના માટે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે.

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાપીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધી અને કડિયા બોર્ડિંગ આસપાસમાં પીજીવીસીએલ દ્વારા ભૂગર્ભમાં નાખેલા વાયર જમીનની ઉપરના ભાગમાં આવી ગયા છે. જેથી કરીને ચોમાસમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે જેથી કરીને ભૂગર્ભમાં વાયરો નિયમ મુજબ ઊંડા નાખવામાં આવે તેવી માંગ કરી છે. અને જો તંત્ર દ્વારા બેદરકારી રાખવામા આવશે અને કોઈપણ જનહાનિ થશે તો તેની સીધી જવાબદારી પીજીવીસીએલની રહેશે તેવી ચીમકી શહેર કોંગ્રેસ પ્રમુખે ઉચ્ચારી છે.






Latest News