મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમ નિમિતે બહેનો માટે સ્નાન-ફરાળ સહિતનો કાર્યક્રમો યોજાયા
SHARE
મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમ નિમિતે બહેનો માટે સ્નાન-ફરાળ સહિતનો કાર્યક્રમો યોજાયા
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે દર વર્ષે ઋષિ પાંચમ નિમિત્તે મહિલાઓ માટે સ્નાન અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવે છે તેવો જ કાર્યક્રમ આ વર્ષે પણ યોજાયો હતો. ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં આવી હતી અને ઋષિ પાંચમ નિમિત્તે સ્નાન, પુજા, ફરાળ સહિતની વ્યવસ્થાનો લાભ લીધેલ હતો. ત્યારે ભજનની પણ રમઝટ બોલી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, મનસુખભાઇ, જયંતિભાઇ, દેવકરણભાઇ, હેમાબેન, પ્રભાબેન, કાંતાબેન, રાજુભાઇ, વિનુભાઈ સહિતના સેવકોએ જહેમત ઉઠાવી હતી. તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે.