મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 4 શખ્સો માર માર્યો


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 4 શખ્સો માર માર્યો

અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ શક્તિ સ્ટોલ પાસે યુવાનને ખાનગી કંપનીમાં ચાલતા વાહન બાબતે બોલાચાલી ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી સારવાર લીધા બાદ હાલમાં યુવાને 4 શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામે રહેતા ભરતભાઈ હરજીભાઈ વરુ (25)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ બાબુભાઈ ગમારા રહે. વાંછકપર, વિપુલભાઈ મોતીભાઈ ગમારા રહે. સરાયા અને બે અજાણ્યા શખ્સ આમ કુલ મળીને 4 વ્યક્તિઓની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે,  મિતાણા પાસે આવેલ ટેક્સટાઇલ્સના કારખાનામાં તેઓનું વાહન ચાલે છે અને આરોપી વિજયભાઈનું વાહન પણ ત્યાં ચાલે છે જે વાહન બાબતે તેઓની સાથે વિજયભાઈ ગમારાએ બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેને હાથમાં પહેરેલ કળા અને પાઇપ વડે માર મારવામાં આવતા જા પામેલા ભરતભાઈને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ રજૂ શરૂ કરે છે

આધેડનું મોત

મૂળ તિરુવંતપુરના રહેવાસી અને હાલમાં મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ જય શક્તિ હોટલના કમ્પાઉન્ડમાં પંચરની દુકાન ખાતે રહેતા અને મજૂરી કામ કરતા ગોપાલકુમાર રાઘવન નાયર (55) નામના આધેડ તા. 23 ના રોજ રાત્રિના 12:30 વાગ્યે સુતા હતા ત્યારબાદ બીજા દિવસે સવારે 8:00 વાગ્યે ઉઠ્યા ન હતા જેથી તેમને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને બીમારી સબબ તેનું મોત નીપજયું હોય આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News