ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાપોદરિયાને શિક્ષક રત્ન એવોર્ડ


SHARE













મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાપોદરિયાને શિક્ષક રત્ન એવોર્ડ

રાજકોટના શ્રી નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષકદિનના ઉપક્રમે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ ખાતે યોજાયેલ 'શિક્ષક રત્ન સન્માન' સમારોહમાં મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રો. ડૉ. યોગેશ એ. જોગસણના હસ્તે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાપોદરિયાને શાલ ઓઢાડી, શિલ્ડ, પ્રમાણપત્ર અને પુસ્તક અર્પણ કરી 'શિક્ષક રત્ન' એવોર્ડ આપવામાં આવ્યો હતો અને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2023 માં શિક્ષકદિને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના 'પતંગિયું કેવું મજાનું' અને 'પાંખ મળે તો...' બાળકાવ્યસંગ્રહ પ્રગટ થયેલ છે. તેમના 'પાંખ મળે તો...' બાળકાવ્યસંગ્રહને  ગુજરાતનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. આમ શિક્ષક સંજયકુમાર બાપોદરિયાએ 'શિક્ષક રત્ન' એવોર્ડ પ્રાપ્ત કરી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવારનું ગૌરવ વધારેલ છે.






Latest News