મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન મોરબી પાલીકા, આઇએમએ, ઈન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના દ્વારા ધારાસભ્યની હાજરીમા સફાઈ અભિયાન ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડુતોને પુરતુ વળતર ન મળે તો રાજ્ય વ્યાપી આંદોલનની ખેડુતોની ચીમકી મોરબી IMA ના પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો. હીનાબહેન મોરીની નિમણુક મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા-વાંકાનેર શહેરી ગણેશજીની મૂર્તિઓને એકત્રિત કરીને સમૂહમાં વિસર્જન કરશે


SHARE











ટંકારા-વાંકાનેર શહેરી ગણેશજીની મૂર્તિઓને એકત્રિત કરીને સમૂહમાં વિસર્જન કરશે

ટંકારા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં સ્થાપવામાં આવેલ ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને પાલિકા દ્વારા એક જગ્યાએ મૂર્તિઓ એકત્રિત કરીને તેની સમૂહમાં વિસર્જન કરવામાં આવશે.

ટંકારા શહેરી વિસ્તારમાં જ્યાં શ્રી ગણેશ ભગવાનનાં પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવી હોય તેના વિર્સજન માટે નગરપાલિકા દ્વારા મોટા શિતળા માતાની ધાર, કોઠારીયા રોડ પર કરવામાં આવી છે. આ જગ્યાએ ટંકારા શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનું વિર્સજન કરવાનું રહેશે. જેમાં દરેક પંડાલ/ આયોજકોએ વિર્સજન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે. તેમજ વિર્સજનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિ નગરપાલિકા કચેરી ખાતે રાખવાની રહેશે. ત્યાંથી નગરપાલિકાનાં વાહનમાં વિર્સજન માટે લઈ જવામાં આવશે. જેમા ચાર જ વ્યકિતઓને વિર્સજન માટે લઈ જવામાં આવશે.

વાંકાનેર શહેરી વિસ્તારમાં જ્યાં શ્રી ગણેશ ભગવાનનાં પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવી હોય તેના વિર્સજન માટે નગરપાલિકા દ્વારા મોટા જડેશ્વર પાછળ મેળાના ગ્રાઉન્ડ પાસે આવેલ નવોદય વિદ્યાલયની પાસે નકકી કરવામાં આવી છે. આ જગ્યાએ વાંકાનેર શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનુ વિર્સજન કરવાનું રહેશે. જેમાં દરેક પંડાલ/ આયોજકો એ વિર્સજન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે તેમજ વિર્સજનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિ વાંકાનેરમાં નાગા બાવાની જગ્યા સામે ભરાતા મેળાના ગ્રાઉન્ડમાં રાખવાની રહેશે. ત્યાંથી નગરપાલિકાનાં વાહનમાં વિર્સજન માટે લઈ જવામાં આવશે. જેમા ચાર જ વ્યકિતઓને વિર્સજન માટે લઈ જવામાં આવશે.






Latest News