અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો


SHARE













મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો

મોરબીના સનાળા ઘુનડા રોડ ઉપર આવેલ આર્યગ્રામ સોસાયટીમાંથી સનાતન ગ્રામ સોસાયટીમાં જવાનો રસ્તો પસાર થાય છે અને તે રસ્તા ઉપરથી ચાલવા દેવા બાબતે આર્ય ગ્રામ સોસાયટીમાં રહેતા મહિલાઓ સહિતના લોકોએ આધેડને ના પાડી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છુટા પથ્થરના ઘા કરીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ગોવિંદભાઈ પારેજીયા (53)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગભાઈ ધરમશીભાઈ વરસોલા, ડો. જયસુખભાઈ કાનજીભાઈ પનારા, કોમલબેન જયસુખભાઈ પનારા, અલ્પાબેન ચિરાગભાઈ વરસોલા તથા રાકેશભાઈ કાંતિભાઈ મેરજા રહે. બધા આર્યગ્રામ સોસાયટી સનાળા ઘુનડા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓની આર્યગ્રામ સોસાયટીમાંથી ફરિયાદી તથા સાહેની સનાતન ગ્રામ સોસાયટીનો રસ્તો જાય છે જે રસ્તા ઉપર  ચાલવા દેવા માટે ના પાડી હતી અને બધાએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ચિરાગભાઈએ ફરિયાદીને જાનથી મારી નખવાની ધમકી આપી હતી અને ફરિયાદીને પથ્થરના છુટા ઘા કરી ડાબા હાથમાં ઇજા કરી હતી જેથી આધેડે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News