મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા


SHARE









અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા

નવકારમંત્ર મહામંત્રના નવપદની સાધના સ્વરૂપ નવ દિવસીય આયંબિલ ઓખી પર્વની આરાધના કરાવવા શ્રી લીંબડી અજરામર સંપ્રદાયના પુ. ગચ્છાધિપતી આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણા ૧૬ નો શ્રી સ્થાનકવાસી જૈન સંઘ મોરબી સોનીબજારના આંગણે આજે ભવ્ય પ્રવેશ થયો હતો

તા. ૨૪ માર્ચથી શરુ થતા શાશ્વતી આયંબિલ ઓખી તપમાં મોરબીના પાંચેય સંઘના ભાવિકોને વધુને વધુ આહારસંજ્ઞાની સંયમરૂપ આ તપશ્ચર્યામાં જોડાઈને આત્મ ભાવ તાપ કરવા પ્રેરણા કરી હતી મોરબીમાં જૈન એકતાની ભાવનાને સુદ્રઢ કરવા છેલ્લા પાંચ વર્ષથી શ્રી સ્થાનકવાસી દેરાવાસી તમામ સંઘના ભાવિકોની એક સાથે સામુહિક આયંબિલ તપનું આયોજન થાય છે આ વરસની ચૈત્રી આયંબિલ ઓખીનો તમામ આર્થિક લાભ માતૃશ્રી નવલબેન તારાચંદ દોશી હ. શ્રીમતી તરૂબેન નવીનભાઈ દોશી (નેકનામ વાળા) એ લીધેલ છે

આજરોજ પુ. આચાર્ય ગુરુદેવની સ્વાગતયાત્રાનો પ્રારંભ સંઘના ટ્રસ્ટી અને ગુરુભક્તિશીલ ઉર્મિલાબેન મહેતાના બંગલેથી થયો હતો જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓએ જૈન ધ્વજ અને કળશ સથે જયઘોષથી ગુરુદેવને વધાવ્યા હતા સંઘ પ્રમુખશ્રી નવીનભાઈ દોશીએ આવકાર આપ્યો હતો મોરબીના પાંચેય સંઘના અધિકારીઓ સહીત ૫૦૦ જેટલા શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ મહેતાએ કર્યું હતું જૈન શાખાની બાળાઓએ સ્વાગત નૃત્ય અને મહિલા મંડળે સ્વાગત ગીત રજુ કર્યું હતું

આ પ્રસંગે પુ. શ્રીએ દરરોજ સવારે ૭ : ૩૦ વાગ્યે પ્રવર્ચનધરામાં અને રાત્રે ૯ વાગ્યે સત્સંગકથામાં પધારવા અનુરોધ કર્યો હતો શ્રી આરાધનાજી મ.સ.શ્રી તરણાજી મ.સ. તથા મૂર્તિપૂજક સંઘના પ્રમુખ શ્રીએ પ્રાસંગિક પ્રવર્ચન કર્યું હતું.શ્રી સંઘ તરફથી નવકારશી અને શેષકાળમાં સાધનિક ભક્તિનો લાભ લેનાર માતૃશ્રી પ્રફુલાબેન રમેશભાઈ દફતરી તથા ગીતાબેન ગુણવંતભાઈ સંઘવીનું બહુમાન કરાયું હતું સંઘના અધિકારીઓ સર્વશ્રી અશોકભાઈ, હસમુખભાઈ, યોગેશભાઈ વિગેરેએ ખુબ સારો સહયોગ આપ્યો હતો.






Latest News