મોરબીમાં નવી બનનારી જેલ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે: રાજકોટ રેંજ જેલ આઈજી ગિરીશ પંડ્યા
મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે
SHARE
મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે
મોરબી સિંધી સમાજ દ્વારા તા. ૨૦ માર્ચ ચૈત્ર સુદ ૨ ને શુક્રવારના શુભ દિવસે ૧૦૭૬ મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
મોરબી સમસ્ત સિંધી સમાજ દ્વારા શ્રી ઝૂલેલાલ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તા. ૨૦ ને શુક્રવારે સવારે ૭ : ૩૦ કલાકે ધ્વજા રોહણ, સવારે ૯ કલાકે પૂજા વિધિ, સવારે ૧૧ કલાકે આરતી અને બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે તેમજ સાંજે ૪ : ૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા સિંધુ ભવન સ્ટેશન રોડ મોરબી ખાતેથી શુભારંભ થશે અને રાત્રે ૮ : ૩૦ કલાકે નહેરૂ ગેઇટ ચોક ખાતે મહા આરતી યોજાશે મહોત્સવમાં તમામ સિંધી પરિવારોને પધારવા નિમંત્રણ પાઠવ્યું છે.