મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરસરા ગામના ખેડૂત સાથે રાજકોટના શખ્સોએ કપાસ ખરીદીને કરી 13.70 લાખની છેતરપિંડી


SHARE













માળીયા (મી)ના ખીરસરા ગામના ખેડૂત સાથે રાજકોટના શખ્સોએ કપાસ ખરીદીને કરી 13.70 લાખની છેતરપિંડી

માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામે રહેતા યુવાન પાસેથી 846 મણ કપાસ સારો ભાવ આપવાનું કહીને લેવામાં આવ્યો હતો તેના 13,70,520 ખેડૂતને આપવાના હતા જે આપવામાં આવ્યા ન હતા અને યુવાનની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના ખીરસરા ગામે રહેતા અને ખેતી કામ કરતાં વિજયભાઈ છગનભાઈ ખાંડેખા જાતે બોરીચા (41) એ હાલમાં સુરેશભાઈ ગોવિંદભાઈ લુણાગરિયા જાતે પટેલ રહે. નાના મવા રોડ રાજ રેસીડેન્સી રાજકોટ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીએ ફરિયાદીના વેવાઈ સામળાભાઇ મારફતે ફરિયાદીનો વિશ્વાસ કેળવીને તેની પાસે રહેલ 846 મણ કપાસ એક મણના 1620 રૂપિયાના ભાવ લેખે ખરીદી કર્યો હતો જેના 13,70,520 આપવાના થતા હતા અને માલ લઈ જઈને માલના સારા ભાવ આપવાનું કહીને કપાસના પૈસા ખેડૂતને આપ્યા નથી જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ હોય ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે રાજકોટના શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક સ્લીપ

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ત્રિલોચનભાઈ બહેરા (46) નામનો યુવાન બાઇક લઈને રફાળેશ્વર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News