હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરસરા ગામના ખેડૂત સાથે રાજકોટના શખ્સોએ કપાસ ખરીદીને કરી 13.70 લાખની છેતરપિંડી


SHARE





માળીયા (મી)ના ખીરસરા ગામના ખેડૂત સાથે રાજકોટના શખ્સોએ કપાસ ખરીદીને કરી 13.70 લાખની છેતરપિંડી

માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામે રહેતા યુવાન પાસેથી 846 મણ કપાસ સારો ભાવ આપવાનું કહીને લેવામાં આવ્યો હતો તેના 13,70,520 ખેડૂતને આપવાના હતા જે આપવામાં આવ્યા ન હતા અને યુવાનની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના ખીરસરા ગામે રહેતા અને ખેતી કામ કરતાં વિજયભાઈ છગનભાઈ ખાંડેખા જાતે બોરીચા (41) એ હાલમાં સુરેશભાઈ ગોવિંદભાઈ લુણાગરિયા જાતે પટેલ રહે. નાના મવા રોડ રાજ રેસીડેન્સી રાજકોટ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીએ ફરિયાદીના વેવાઈ સામળાભાઇ મારફતે ફરિયાદીનો વિશ્વાસ કેળવીને તેની પાસે રહેલ 846 મણ કપાસ એક મણના 1620 રૂપિયાના ભાવ લેખે ખરીદી કર્યો હતો જેના 13,70,520 આપવાના થતા હતા અને માલ લઈ જઈને માલના સારા ભાવ આપવાનું કહીને કપાસના પૈસા ખેડૂતને આપ્યા નથી જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ હોય ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે રાજકોટના શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક સ્લીપ

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ત્રિલોચનભાઈ બહેરા (46) નામનો યુવાન બાઇક લઈને રફાળેશ્વર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News