મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરસરા ગામના ખેડૂત સાથે રાજકોટના શખ્સોએ કપાસ ખરીદીને કરી 13.70 લાખની છેતરપિંડી


SHARE











માળીયા (મી)ના ખીરસરા ગામના ખેડૂત સાથે રાજકોટના શખ્સોએ કપાસ ખરીદીને કરી 13.70 લાખની છેતરપિંડી

માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામે રહેતા યુવાન પાસેથી 846 મણ કપાસ સારો ભાવ આપવાનું કહીને લેવામાં આવ્યો હતો તેના 13,70,520 ખેડૂતને આપવાના હતા જે આપવામાં આવ્યા ન હતા અને યુવાનની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના ખીરસરા ગામે રહેતા અને ખેતી કામ કરતાં વિજયભાઈ છગનભાઈ ખાંડેખા જાતે બોરીચા (41) એ હાલમાં સુરેશભાઈ ગોવિંદભાઈ લુણાગરિયા જાતે પટેલ રહે. નાના મવા રોડ રાજ રેસીડેન્સી રાજકોટ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીએ ફરિયાદીના વેવાઈ સામળાભાઇ મારફતે ફરિયાદીનો વિશ્વાસ કેળવીને તેની પાસે રહેલ 846 મણ કપાસ એક મણના 1620 રૂપિયાના ભાવ લેખે ખરીદી કર્યો હતો જેના 13,70,520 આપવાના થતા હતા અને માલ લઈ જઈને માલના સારા ભાવ આપવાનું કહીને કપાસના પૈસા ખેડૂતને આપ્યા નથી જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ હોય ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે રાજકોટના શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક સ્લીપ

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ત્રિલોચનભાઈ બહેરા (46) નામનો યુવાન બાઇક લઈને રફાળેશ્વર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News