ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

કચ્છ મોરબીમાં સાંસદ વિનોદભાઇના સાંસદ સંપર્ક સદનનું કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્દઘાટન કરાયું


SHARE







કચ્છ મોરબીમાં સાંસદ વિનોદભાઇના સાંસદ સંપર્ક સદનનું કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્દઘાટન કરાયું

જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે સંગઠન મહા મંત્રી રત્નાકરજી, જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ કચ્છ અને મોરબીના ધારાસભ્યઓ, જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહજી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, નગર પાલીકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાજીના નુતન સાંસદ સંપર્ક સદનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

સાંસદ સંપર્ક સદનનું સી.આર. પાટીલજી ના વરદ હસ્તે રીબીન કાપી સાંસદ કાર્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહી સાંસદને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ પાટીલજી, રત્નાકરજી અને ધારાસભ્યશ્રીઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. સી.આર. પાટીલ સાંસદના ૧૦ વર્ષના સમયકાળમાં થયેલ જનહીતના કાર્યોની સરાહના કરી હતી અને સાંસદ તથા કચ્છ ભાજપની ટીમ દ્વારા ભૂગર્ભ જળ સંચય અભિયાન હેઠળ થયેલ કુવા બોર રિચાર્જ કામગીરીને બિરદાવી હતી. સાંસદ દ્વારા સ્વાગત સાબ્દીક આવકાર પ્રવચન કરવામાં આવેલ. 

આધુનીક યુગનું આધુનીક સુવિધા સભર સાંસદ વિનોદભાઇ ચાવડા નું આ સાંસદ સંપર્ક સદન લોક સંપર્કનું સેતુ બનશે તેમ સંગઠન મંત્રી રત્નાકરજીએ જણાવ્યુ હતું. નિમંત્રણ ને માન આપી પધારેલા કેન્દ્રિય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલજી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી નું સાંસદ વિનોદભાઇ ચાવડાએ શાલ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું જયારે કુવા અને બોર રિચાર્જ કરી જળ સંચય-સંગ્રહ કરનાર ખેડુતો થી ૧૦ કિશાનોને મંત્રી સી.આર. પાટીલજીએ પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા, પધારેલ મહેમાનો અને મહાનુભાવો નું સાલ વડે સાંસદએ સન્માન કર્યું હતું.સાંસદ સંપર્ક સદનખાતે ભાજપા સદસ્યતા અભિયાન માટે ટેબલો તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સદસ્યતા અભિયાન અને લોક સંપર્ક માટે ૨ વેનનું સી.આર. પાટીલ સાહેબ દ્વારા પ્રસ્થાન કરવામાં આવેલ જે સમસ્ત કચ્છ અને માળીયા - મોરબી મધ્યે ફરશે તેમ સાંસદએ જણાવ્યુ હતું.

સાંસદ સંપર્ક ઉદ્દઘાટન પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મોરબી જીલ્લા ભાજપા પ્રમુખ રણછોડભાઇ દલવાડી, કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહજી, માન. ભુજ ધારા સભ્ય કેશુભાઇ પટેલ, મોરબી ધારાસભ્ય કાન્તિભાઇ અમૃતિયા, માંડવી ધારાસભ્ય અનિરૂધ્ધભાઇ દવે, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા, સર્વશ્રી દિલિપભાઇ ત્રિવેદી, શ્રીમતી પારૂલબેન કારા, માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, કે.ડી.સી.સી. બેન્ક ચેરમેન દેવરાજભાઇ ગઢવી, અંગદાન પ્રણેતા દિલિપભાઇ દેશમુખ તેમજ ભાજપ હોદ્દેદાર, મંડળ, મોરચા અને કાર્યકર્તાઓજાહેર જનતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News