પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે રોડ સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા માટે કારખાનમાં ઘૂસીને ઇનોવાની પાછળ થાર ગાડી અથડાવી, 4 લાખનું કર્યું નુકશાન: આરોપી ફરાર મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામના મહિલા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોપાયો


SHARE











વાંકાનેરના હસનપર ગામના મહિલા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોપાયો

વાંકાનેર તાલુકાની હસનપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ખાસ સભામાં મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને તેઓનો ચાર્જ હસનપર ગ્રામ પંચાયતના ઉપસરપંચને આપવામાં આવ્યો હોવાનું ટીડીઓ પાસેથી જાણવા મળેલ છે.

વાંકાનેર તાલુકાના હસનપર ગામના મહિલા સરપંચ કાજલબેન અજયભાઈ પરસોંડા વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 56 અન્વયે અવિશ્વાસની દરખાસ્ત હસનપર ગ્રામ પંચાયતમાં તા. 10/9/24 ની ખાસ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી હતી અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 56 (2) ની જોગવાઈ મુજબ પ્રસ્તાવ પસાર થયાના ત્રણ દિવસ પછીથી સરપંચની મુદત પૂર્ણ થઈ જાય છે. જેથી કરીને વાંકાનેરના ટીડીઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 55 (1) હેઠળ હસનપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ રમેશભાઈ ભાવાભાઈ સારલાને તા. 14/9/2024 થી જ્યાં સુધી સરપંચની જગ્યા ભરાઈ નહીં ત્યાં સુધી સરપંચના કાર્યો અને ફરજ બજાવવા માટે થઈને આદેશ કરવામાં આવેલ છે






Latest News