મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ઋષિકુમારો સહિતના બાળકોને વસ્ત્રો અર્પણ કરતાં ધારાસભ્ય


SHARE







વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ઋષિકુમારો સહિતના બાળકોને વસ્ત્રો અર્પણ કરતાં ધારાસભ્ય

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા અનેક સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ઋષિકુમારો સહિતના બાળકોને વસ્ત્રો આપવામાં આવ્યા હતા અને ઋષિકુમાર સહિતના ભૂદેવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ધયું માટે ખોખરા હનુમાનને પ્રાર્થના કરી હતી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74 માં જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં અનેક જગ્યાએ જુદા જુદા સેવાકિયા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા દરમિયાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લાના પ્રમુખ બાબુભાઈ પરમાર સહિતના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો

આ તકે ખોખરા હનુમાન હરિહર ગામ ખાતે રહીને સંસ્કૃતનું શિક્ષણ મેળવતા ઋષિકુમારો દ્વારા નરેન્દ્ર મોદીના દીર્ધયું માટે ખોખરા હનુમાનને પ્રાર્થના કરવામાં આવી હતી અને ત્યારે સંસ્કૃતનો અભ્યાસ કરતા ઋષિકુમારો સહિતના કુલ 125 થી વધુ બાળકોને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તરફથી વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, દેશની જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સેવા કરવામાં આવી રહી છે તેવી જ સેવા તેઓ વર્ષો સુધી કરતા રહે તેના માટે ઋષિકુમારોએ ભગવાનને પ્રાર્થના કરી છે અને અંતમાં તેઓએ જણાવ્યુ હતું કેજ રીતે અનેક જગ્યાએ જુદાજુદા કાર્યક્રમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દેશમાં કરવામાં આવી રહી છે આવું ભૂતકાલમાં કયારેય કોઈ નેતા માટે તેઓએ દેશમાં જોયું નથી અને ભવિષ્યમાં કયારેય કોઈ નેતા માટે જોવા મળશે પણ નહીં તેમાં શંકાને કોઈ સ્થાન નથી.




Latest News