હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ
SHARE







હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ
હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં અજાણ્યા શખ્સ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને મંદિરના અંદરના દરવાજાનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરીને ચાંદીના કુલ મળીને ત્રણ કિલો વજનના બે છતર જેની કુલ કિંમત 75 હજાર રૂપિયા થાય તેની ચોરી કરવામાં આવેલ હતી જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં એક આરોપીને પકડેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ઉમાટાઉનશીપની બાજુમાં આવેલ ગિરિરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા જાતે દરબાર (32) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે હતી જેમાં જણાવ્યુ હતું કે, ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને મંદિરના દરવાજાના તાળા ને તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં રાખવામાં આવેલ ચાંદીના બે છત્તર જેનો કુલ વજન ત્રણ કિલો જેટલો થાય છે તે 75 હજાર રૂપિયાની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરવામાં આવેલ છે જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને તેવામાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.એન. સિસોદીયા અને હરવિજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે આરોપી રાકેશ ઉર્ફે રાજૂ રેસિંગભાઈ રાઠવા રહે. જરખડી ફળિયા ડોલરિયા ગામ છોટા ઉદેપુર વાળાની ધરપકડ કરેલ છે
