મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ નજીક પેપર મીલમાં યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE











મોરબીના ભડીયાદ નજીક પેપર મીલમાં યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના ભડીયાદ નજીક આવેલ ગોલ્ડન પેપર મીલમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ભડિયાદ ગામ નજીક આવેલ ગોલ્ડન પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ઘનશ્યામભાઈ છોટેલાલ ચૌધરી (47)એ પેપર મીલ ખાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને કમલેશભાઈ ચૌધરી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી જોકે યુવાને ક્યાં કરણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

મારા મારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા નવઘણભાઈ કનુભાઈ ડુંગરા (24) નામના યુવાનને ત્યાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબીના શોભેશ્વર રોડ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પ્રતાપસિંહ શેખાવત (18) રહે. શોભેશ્વર રોડ મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મારા મારીના બંને બનાવની આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે






Latest News