મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી


SHARE





બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી

માળીયા (મીં) તાલુકાનાં કુંભારીયા ગામે રહેતા વ્યક્તિએ દબાણ અને પવનચકીને લગતી અરજીઓ ફરીયાદ નિવારણ કાર્યક્રમ 30 વખત કરેલ છે પણ કામ કોઈ કરવામાં આવતું નથી જેથી કરીને આગામી ફરીયાદ નિવારણ કાર્યક્રમ પહેલ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ફરીયાદ નિવારણ કાર્યક્રમના સભાખંડને તાળાબંધી કરવાની ચમકી ઉચ્ચારી છે.

માળીયા (મીં) તાલુકાનાં કુંભારીયા ગામે રહેતા રણછોડભાઈ લખમણભાઈ બાબરીયાએ હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ છેલ્લા નવ વર્ષથી ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરે છે અને મુખ્યમંત્રી ફરીયાદ નિવારણમાં 30 વખત અરજી કરી છે તો પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ ગૌચરમાં દબાણ કરીને ઊભી કરવામાં આવેલ પવનચકીને દુર કરવામાં આવતી નથી જો હવે નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો આવતા મુખ્યમંત્રી ફરીયાદ નીવારણના તા 26/2 ના કાર્યક્રમમાં કલેક્ટર કચેરીના સભાખંડને તાળાબંધી કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News