મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી


SHARE















બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી

માળીયા (મીં) તાલુકાનાં કુંભારીયા ગામે રહેતા વ્યક્તિએ દબાણ અને પવનચકીને લગતી અરજીઓ ફરીયાદ નિવારણ કાર્યક્રમ 30 વખત કરેલ છે પણ કામ કોઈ કરવામાં આવતું નથી જેથી કરીને આગામી ફરીયાદ નિવારણ કાર્યક્રમ પહેલ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ફરીયાદ નિવારણ કાર્યક્રમના સભાખંડને તાળાબંધી કરવાની ચમકી ઉચ્ચારી છે.

માળીયા (મીં) તાલુકાનાં કુંભારીયા ગામે રહેતા રણછોડભાઈ લખમણભાઈ બાબરીયાએ હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ છેલ્લા નવ વર્ષથી ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરે છે અને મુખ્યમંત્રી ફરીયાદ નિવારણમાં 30 વખત અરજી કરી છે તો પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ ગૌચરમાં દબાણ કરીને ઊભી કરવામાં આવેલ પવનચકીને દુર કરવામાં આવતી નથી જો હવે નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો આવતા મુખ્યમંત્રી ફરીયાદ નીવારણના તા 26/2 ના કાર્યક્રમમાં કલેક્ટર કચેરીના સભાખંડને તાળાબંધી કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News