મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

સદગુરુ કૃપા કરે તો સુતા સુતા પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય: પૂજ્યપાદ રાજેન્દ્રદાસ મહારાજ


SHARE













સદગુરુ કૃપા કરે તો સુતા સુતા પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય: પૂજ્યપાદ રાજેન્દ્રદાસ મહારાજ

મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે સંત કેશવાનંદ બાપુની સમાધિની રજત જયંતી વર્ષ નિમિતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને વ્યાસપીઠ ઉપરથી વક્તા ભાગવતકાર જગદગુર દ્વારાચાર્ય રાજેન્દ્રદાસ મહારાજે વ્યાસપીઠ ઉપરથી સદગુરુની ભક્તિથી કેવી રીતે જગદગુરુને પ્રસન્ન કરી શકાય તેનું શ્રોતાઓને રસપાન કરાવ્યું હતું.

સમગ્ર મોરબીવાસીઓ જેને સંત તરીકે આસ્થા સાથે પૂજે છે તેવા પૂજ્ય કેશવાનંદ બાપુને સમાધિને 25 વર્ષ એટલે કે રજત જયંતિ વર્ષ નિમિત્તે મોરબીના બેલા ગામ પાસે આવેલા ખોખરા હરીહર ધામ ખાતે પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી તથા અન્ય સંતો અને સેવક ગણ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભાગવત ઉપર તત્વચિંતન કરનાર જગતગુરુ દ્વારાચાર્ય મુલુક પીઠાધેશ્વર પૂજ્ય સ્વામી રાજેન્દ્રદાસજી દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથાના બીજા દિવસે કથાના વક્તા રાજેન્દ્રદાસ મહારાજે કથામાં જણાવ્યું હતું કે, ગુરુ કૃપાથી કંઈપણ અસંભવ નથી, ગુરુકૃપાનું ફળ જ ભગવતકૃપા છે. અને સદગુરુની સેવાથી જગદગુરુ પ્રસન્ન થતા હોય છે. હાલમાં જે પવિત્ર જગ્યાએ કથા ચાલી રહી છે તે ખોખરા હનુમાન હરિહરધામની શોભા અને વિકાસ ગુરુ કૃપાનું જ ફળ છે. અને સદગુરુને કોઈ વિરલા જ જાણી શકે છે. અને સદગુરુ કૃપા કરે તો સુતા સુતા પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે.






Latest News