મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો


SHARE







મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો

મોરબીના ઉંચી માંડલ નજીક કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, મૃતક યુવાન નવલખી ફાટક પાસે રહેતો હતો.યુવાન કેનાલમાં પાણી પીવા ગયો હતો ત્યારે લપસી પડવાને કારણે ડૂબી ગયો હોવાનું સામે આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મોરબીના નવલખી ફાટક પાસે પરશુરામ મંદિરની બાજુમાં રહેતો સંજયભાઇ વિનુભાઇ જસમુલીયા નામનો ૨૦ વર્ષીય યુવાન ત્રણેક દિવસ પહેલા ઉંચી માંડલ ગામે હતો અને તે કેનાલના કાંઠે પાણી પીવા જતી વખતે અચાનક પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. અગાઉ જ્યારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો ત્યારે મોતનું કારણ અકબંધ હતું. હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ મોરબી તાલુકા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેતરપિંડીમાં પોલીસ કાર્યવાહી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપિંડીના ગુનાની તપાસ ચલાવી રહેલા પીએસઆઇ સી.એમ.કરકર તથા રાઇટર હરસુખભાઈ દ્વારા તે ગુનામાં સંડોવાયેલા કેતન લાલજી સંઘાણી (૩૨) રહે.ઘુંટુ તા.મોરબી તથા સંદીપ માવજીભાઈ મેરજા (૪૩) રહે.મહેન્દ્રનગર તા.મોરબી સામે ધોરણ કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નાગડાવાસ ગામની પાસે ઓવરબ્રિજ નજીક બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.આ બનાવમાં અજીતસિંહ નવલસિંહ ઝાલા (૩૯) રહે.પાવન પાર્ક શેરી નંબર-૫ સામાકાંઠે મોરબી-૨ ને ઈજાઓ થઈ હોય આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની સરતાનપર ચોકડી પાસે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઢીલાભાઈ ઉમરભાઈ ચાડમિયા (૩૦) અને સામેના પક્ષેથી સંજય લેવીજભાઇ મંડુરીયા (૩૦) રહે.ટીટા ચોકડી સરતાનપર ને ઇજા થયેલી હોય તે બંનેને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા






Latest News