મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત


SHARE





ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત

ટંકારાના લતીપર રોડ ઉપર હીરાપર ગામ પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે તેમાં સાત જેટલા મહિલાઓ બેઠેલા હતા અને રીક્ષા ચાલકે બેફિકરાયથી પોતાની રીક્ષા ચલાવીને આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રૉલીમાં પાછળથી રિક્ષા અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલક સહિત કુલ આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી આ અકસ્માતના બનાવમાં એક મહિલ અને એક યુવતીને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બંનેનું મોત નીપજયું છે અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલ મહિલાની ફરિયાદ લઈને પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના વીશીપરા વિસ્તારમાં સરકારી વાડી પાસે રહેતા ગુલશનબેન અનવરભાઈ ભટ્ટી (35)એ હાલમાં ગફુરભાઈ સિકંદરભાઈ જામ રહે. મોરબી વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા લતીપર રોડ ઉપર આવેલ હીરાપર ગામ પાસેથી આરોપીએ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 1296 પૂર ઝડપે ચલાવી હતી અને આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગમાં રિક્ષાને અથડાવી હતી જેથી કરીને ફરિયાદીને તથા રીક્ષા ચાલકને પોતાને તેમજ રેમાબેન, જીન્નતબેન, ફીજાબેન, હસીનાબેન, સલમાબેન અને નજમાબેનને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જે પૈકી રેશ્માબેન ગફુરભાઈ જામ (૧૮) રહે કુલીનગર મોરબી અને જીન્નતબેન મહમદહુશૈન સંઘવાણી (૩૯) રહે. મિયાણાવાસ બેડેશ્વર જામનગર ને વધુ ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે બંનેના મોત નીપજ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 




Latest News