મોરબીમાં આહીર સેના દ્વારા આહીર સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન
SHARE
મોરબીમાં આહીર સેના દ્વારા આહીર સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન
મોરબીમાં આહીર સેના દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. અને નવલખી રોડે આવેલ બહુચર પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાશે.
આ અંગેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે તા.૩/૧૦/૨૦૨૪ થી ૧૧/૧૦/૨૦૨૪ સુધી ભગવાન શ્રી કૃષ્ણના અધ્યક્ષ સ્થાને દ્વારકાધીશની સાક્ષીએ આહીર સેના ગુજરાતના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ફક્ત આહીર સમાજ માટે શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરાયું છે આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના હોદેદારો સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે અને તેમાં આહીર સમાજના પ્રખ્યાત કલાકારો જમાવટ કરશે. વધુમાં આયોજકોએ સમસ્ત આહીર સમાજને પધારવા આમંત્રણ આપેલ છે અને રાસ રમવા માટે એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવેલ નથી. માત્ર આધારકાર્ડ સાથે રખવાનું છે.