મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સેના દ્વારા આહીર સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન 


SHARE













મોરબીમાં આહીર સેના દ્વારા આહીર સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન 

મોરબીમાં આહીર સેના દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. અને નવલખી રોડે આવેલ બહુચર પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાશે.

આ અંગેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે  તા.૩/૧૦/૨૦૨૪ થી ૧૧/૧૦/૨૦૨૪ સુધી ભગવાન શ્રી કૃષ્ણના અધ્યક્ષ સ્થાને દ્વારકાધીશની સાક્ષીએ આહીર સેના ગુજરાતના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ફક્ત આહીર સમાજ માટે શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરાયું છે આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના હોદેદારો સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે અને તેમાં આહીર સમાજના પ્રખ્યાત કલાકારો જમાવટ કરશે. વધુમાં આયોજકોએ સમસ્ત આહીર સમાજને પધારવા આમંત્રણ આપેલ છે અને રાસ રમવા માટે એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવેલ નથી. માત્ર આધારકાર્ડ સાથે રખવાનું છે.






Latest News