મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સેના દ્વારા આહીર સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન 


SHARE















મોરબીમાં આહીર સેના દ્વારા આહીર સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન 

મોરબીમાં આહીર સેના દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. અને નવલખી રોડે આવેલ બહુચર પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાશે.

આ અંગેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે  તા.૩/૧૦/૨૦૨૪ થી ૧૧/૧૦/૨૦૨૪ સુધી ભગવાન શ્રી કૃષ્ણના અધ્યક્ષ સ્થાને દ્વારકાધીશની સાક્ષીએ આહીર સેના ગુજરાતના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ફક્ત આહીર સમાજ માટે શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરાયું છે આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના હોદેદારો સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે અને તેમાં આહીર સમાજના પ્રખ્યાત કલાકારો જમાવટ કરશે. વધુમાં આયોજકોએ સમસ્ત આહીર સમાજને પધારવા આમંત્રણ આપેલ છે અને રાસ રમવા માટે એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવેલ નથી. માત્ર આધારકાર્ડ સાથે રખવાનું છે.






Latest News