મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના શનાળાથી રાજપર જવાના રસ્ત પાસે સર્કલ બનાવ કોંગ્રેસની માંગ


SHARE















મોરબીના શનાળાથી રાજપર જવાના રસ્ત પાસે સર્કલ બનાવ કોંગ્રેસની માંગ

મોરબીના શનાળા ગામ પાસેથી રાજપર ગામ તરફ જવાના રસ્તે ટ્રાફિકની સમસ્યા છે જેથી કરીને ત્યાં સર્કલ બનાવવામાં આવે તેવી માંગ મોરબી તાલુકા સમિતિના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે અને આ અંગે તેઓએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે.

મોરબી તાલુકા કોંગ્રેસ્ન પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટ જતા રોડ ઉપર શનાળા ગામથી રાજપર તરફ જવાના રસ્તે જે ચોકડી આવેલ છે ત્યાં અવાર-નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી કરીને લોકોની સમસ્યાને ઉકેલવા માટે આ ચોકડી પાસે સર્કલ બનાવવામાં આવે તે જરૂરી છે અને આ ચોકડી સવારે અને સાંજના સમયે ટ્રાફિક સમસ્યા હોય છે અને તેના કાયમી નિવારણ માટે વહેલમાં વહેલી તકે સર્કલ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News