મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

ટંકારાના નાનારામપર ગામે સેવા સહકારી મંડળીના સભાસદોની જાણ બહાર ચૂંટણી-સાધારણ સભા યોજાઇ ગઈ !


SHARE













ટંકારાના નાનારામપર ગામે સેવા સહકારી મંડળીના સભાસદોની જાણ બહાર ચૂંટણી-સાધારણ સભા યોજાઇ ગઈ !

ટંકારા તાલુકાનાં નાનારામપર ગામે આવેલ સેવા સહકારી મંડળીના સભાસદોને જાણ કર્યા વગર જ સેવા સહકારી મંડળીની ખોટી ચૂંટણી ! તથા સાધારણ સભા યોજાઈ હતી અને આ બાબતે જિલ્લા રજિસ્ટ્રારને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને આ વ્યવસ્થાપક કમિટીને દૂર કરવા માટેની માંગ કરવામાં આવેલ છે.

ટંકારાના નાનારામપર ગામે સેવા સહકારી મંડળીના સભાસદો દ્વારા રજિસ્ટ્રારને લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી કોઈ જ સભાસદોને જાણ કર્યા વગર કે જિલ્લા રજિસ્ટ્રારની જાણ વગર ગત તા. 26/2 થી 2/3 વચ્ચે કરવામાં આવી હતી. જો કે, ખરેખર આ ચૂંટણી મે-2024 માં કરવાની હતી. તેમજ તારીખ 28/4/2024 ના રોજ સાધારણ સભા પણ બોલાવી હતી. જેમાં 51 સભાસદો હાજર રહ્યા હતા. અને તેઓએ ખોટી ચૂંટણીને બહાલી આપતો ઠરાવ કર્યો છે. ખરેખર આવી કોઈ સભા મળી જ નથી. જેથી કરીને જે લોકોના નામ લખેલા છે તેમાંથી 22 સભાસદોએ લેખિતમાં રજૂઆત કરેલ છે અને કહ્યું છે કે, આવી કોઈ ચૂંટણીની પ્રક્રિયા કે સાધારણ સભાની જાણ કરવામાં આવેલ નથી જેથી કરીને યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને ચૂંટણી બાબતે વારંવાર જિલ્લા રજિસ્ટ્રાર તથા મંડળીના પ્રમુખ અને મંત્રીને લેખિતમાં આપીને મંડળીની ચૂંટણી લોકશાહી ઢબે બધા જ સભાસદોને જાણ કરીને કરવામાં આવે તેવી જિલ્લા રજિસ્ટ્રાર સહિતનાઓની સમક્ષ માંગ કરી છે અને ખોટી ચૂંટણી અને સાધારણ સભા કરવામાં આવી તે બાબતે તાત્કાલીક પગલાં લઈને હાલની વ્યવસ્થાપક કમિટીને દૂર કરીને કસ્ટોડીયન નિમવાની માંગ કરી છે.






Latest News