વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાની હદમાં સરકારી જમીન ઉપરથી નોનવેજના હાટડા હટાવવા ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત


SHARE













વાંકાનેર પાલિકાની હદમાં સરકારી જમીન ઉપરથી નોનવેજના હાટડા હટાવવા ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત

તાજેતરમાં સોમનાથમાં મોટા પ્રમાણમા દબાણોને દૂર કરવામા આવેલ છે ત્યારે વાંકાનેરમાં વર્ષો જૂના દબાણો આવેલ છે તે દબાણોને દૂર કરવા અને પાલિકાની માલિકીની જમીન તેમજ અન્ય જગ્યા ઉપર વેચાતા નોનવેજ બાબતે પગલાં લેવા માટે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ કલેક્ટરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે, વાંકાનેર શહેરમાં મીલ પ્લોટથી વીસીપરા તરફ જતાં રોડ પર વાંકાનેર પાલિકાની માલિકીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને કોઈપણ જાતની મંજૂરી, લાઈસન્સ વગર નિયમ વિરુદ્ધ નોનવેજનું વેચાણ કરવામાં આવે છે. અને આ રસ્તો જાહેર માર્ગ હોય આ પ્રકારનું વેચાણ કરવું યોગ્ય નથી. અને હાલ નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હિન્દુ સમાજની લાગણી દુભાઈ તે વાજબી નથી. નથી દબાણો દુર કરીને નોનવેજનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અગાઉ તેઓએ વાંકાનેરના પંચાસર રોડ પર આવેલી મહાદેવ સોસાયટી સામે નોનવેજનું વેચાણ થતું હોવાની જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ એવું પણ જણાવ્યુ છે કે, ગીર સોમનાથના કલેક્ટર દ્વારા 100 એકરથી વધારે જમીન ઉપરથી દબાણ દૂર કરલે છે તો સત્તાની રૂએ વાંકાનેર શહેરમાં દબાણ દુર કરીને ગેરકાયદે નોનવેજનો વેપાર અને કતલખાના બંધ કરાવવામાં આવે તે અનિવાર્ય છે કેમ ન કરી શકો ?






Latest News