ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

મોરબી : માળીયા (મિં) ના ખીરસરા ગામે તલાવડીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત


SHARE













મોરબી : માળીયા (મિં) ના ખીરસરા ગામે તલાવડીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના ખીરસરા ગામે તલાવડીમાં નાહવા ગયેલા વૃદ્ધનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજેલ છે.બનાવને પગલે ડેડબોડીને મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યુ હતુ.બનાવની જાણ થતા મોરબી પોલીસે માળિયા પોલીસને આગળની તપાસ અર્થે જાણ કરી હતી.

વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે માળિયાના ખીરસરા ગામે રહેતા મનાભાઈ વાઘાભાઈ દેવીપુજક નામના ૬૦ વર્ષના વૃદ્ધ લાતડા કાપવા માટે ગયા હતા અને બાદ નાહવા માટે ત્યાં આવેલી તલાવડીમાં ગયા હતા.ત્યાં પાણીમાં ડૂબી ગયા હોય તેમનું મોત થયુ હતુ.બનાવની જાણ થતાં માળિયા પોલીસ મથકના કલ્પેશભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવેલ છે.

ચાકૂથી હુમલો: બે ભાઈ ઈજાગ્રસ્ત

મોરબીના વિસીપરામાં અમરેલી રોડ વિસ્તારમાં આવેલા ગુલાબનગર પાસે રહેતા મહેશભાઈ મથુરભાઈ મેસરીયા અને તેમના ભાઈ જગમાલ મથુરભાઈ મેસરીયા ઉપર ચાકૂ તેમજ નળીયા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.જૂની  અદાવતમાં અજાણ્યા ઈસમોએ બંને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો.હુમલામાં બંનેને ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં મોરબી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સતિષભાઇ ગળચરે તપાસ હાથ ધરી છે.પોલીસે નોંધ કરીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

વાહન અકસ્માત

ટંકારાના કલ્યાણપર ગામના પાટીયા પાસે કાર અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં કાર સાથે કાર અથડાતા ઇજા પામેલા રમેશભાઈ ભગવાનજીભાઈ વાઘેલા (૫૦) રહે.લાયન્સનગર શનાડા રોડ મોરબીને ઇજાઓ થયેલ હોવાથી અહિંમી ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના બી.બી.ડાભી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના નવા બસ સ્ટેશન પાસે બાઇક ચાલકે હડફેટે લેતા સંગીતાબેન ભુદરભાઈ જેતપરિયા (૬૩) રહે.ઉમિયાનગર શેરી નંબર-૩ ને ઇજાઓ પહોંચી હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવની જાણ થતા સ્ટાફના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News