મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી : માળીયા (મિં) ના ખીરસરા ગામે તલાવડીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત


SHARE







મોરબી : માળીયા (મિં) ના ખીરસરા ગામે તલાવડીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના ખીરસરા ગામે તલાવડીમાં નાહવા ગયેલા વૃદ્ધનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજેલ છે.બનાવને પગલે ડેડબોડીને મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યુ હતુ.બનાવની જાણ થતા મોરબી પોલીસે માળિયા પોલીસને આગળની તપાસ અર્થે જાણ કરી હતી.

વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે માળિયાના ખીરસરા ગામે રહેતા મનાભાઈ વાઘાભાઈ દેવીપુજક નામના ૬૦ વર્ષના વૃદ્ધ લાતડા કાપવા માટે ગયા હતા અને બાદ નાહવા માટે ત્યાં આવેલી તલાવડીમાં ગયા હતા.ત્યાં પાણીમાં ડૂબી ગયા હોય તેમનું મોત થયુ હતુ.બનાવની જાણ થતાં માળિયા પોલીસ મથકના કલ્પેશભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવેલ છે.

ચાકૂથી હુમલો: બે ભાઈ ઈજાગ્રસ્ત

મોરબીના વિસીપરામાં અમરેલી રોડ વિસ્તારમાં આવેલા ગુલાબનગર પાસે રહેતા મહેશભાઈ મથુરભાઈ મેસરીયા અને તેમના ભાઈ જગમાલ મથુરભાઈ મેસરીયા ઉપર ચાકૂ તેમજ નળીયા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.જૂની  અદાવતમાં અજાણ્યા ઈસમોએ બંને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો.હુમલામાં બંનેને ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં મોરબી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સતિષભાઇ ગળચરે તપાસ હાથ ધરી છે.પોલીસે નોંધ કરીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

વાહન અકસ્માત

ટંકારાના કલ્યાણપર ગામના પાટીયા પાસે કાર અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં કાર સાથે કાર અથડાતા ઇજા પામેલા રમેશભાઈ ભગવાનજીભાઈ વાઘેલા (૫૦) રહે.લાયન્સનગર શનાડા રોડ મોરબીને ઇજાઓ થયેલ હોવાથી અહિંમી ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના બી.બી.ડાભી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના નવા બસ સ્ટેશન પાસે બાઇક ચાલકે હડફેટે લેતા સંગીતાબેન ભુદરભાઈ જેતપરિયા (૬૩) રહે.ઉમિયાનગર શેરી નંબર-૩ ને ઇજાઓ પહોંચી હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવની જાણ થતા સ્ટાફના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News