ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લામાં જુદીજુદી 3 તાલુકા પંચાયતમાં આપના 6 ઉમેદવારો વિજેતા બન્યા મોરબી જિલ્લાની પાંચ પૈકી 4 તાલુકા પંચાયતોમાં કમળ ખીલી ઉઠ્યું: વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લીધી વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે
Breaking news
Morbi Today

ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં આવતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે ત્યારે આજે મોરબીમાં રહેતા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાન ઉમાટાઉનશીપ ખાતે તમામ ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો અને આગામી પાંચ વર્ષ સુધી ભ્રષ્ટાચાર વગર સારામાં સારા કામ મોરબી અને માળીયા શહેર તથા તાલુકા વિસ્તારમાં કરવા માટેની તેઓએ ટકોર કરી હતી અને ખાસ કરીને તે કહ્યું હતું કે આ ચૂંટણીની અંદર નથી સત્તાનો દુરુપયોગ કર્યો, નથી કોઈ ટપોરીનો ઉપયોગ કર્યો તેમ છતાં પણ ભાજપનો ઝળહળતો વિજય થયો છે.

મોરબી જિલ્લા પંચાયત, મોરબી મહાનગરપાલિકા, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા આમ કુલ મળીને 10 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે થઈને ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં મોરબી મહાનગરપાલિકાની 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે જ્યારે મોરબી જિલ્લા પંચાયતની મોરબી તાલુકા વિસ્તારમાં આવતી અને માળિયા વિસ્તારમાં આવતી 8 બેઠકોમાંથી 7 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે તે ઉપરાંત માળિયા તાલુકા પંચાયત અને મોરબી તાલુકા પંચાયતમાં પણ ભાજપને બહુમતી મળી છે તેમજ માળિયા નગરપાલિકામાં ભાજપના 7 ઉમેદવારોનો વિજય થયો છે ત્યારે ભાજપના તમામ વિજેતા ઉમેદવારોનો આજે મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે રહેતા રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાન ખાતે અભિનંદન સમારોહ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, હરેશભાઈ બોપલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને તમામ ચૂંટાયેલા સદસ્યોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટકોર કરતા કહ્યું હતું કે પાર્ટીને સારા માણસો જોઈએ છે, વફાદાર માણસો જોઈએ છે માટે તમને પાંચ વર્ષ મળ્યા છે તેનો સદઉપયોગ કરીને સારામાં સારી કામગીરી કરો અને ભ્રષ્ટાચાર ન કરો તેવી ટકોર કરી હતી અને ખાસ કરીને તેઓ એવું પણ કહ્યું હતું કે ચૂંટણીમાં આ વખતે નથી કોઈ સત્તાનો ઉપયોગ કર્યો, નથી કોઈ ટપોરીનો ઉપયોગ કર્યો તેમ છતાં પણ મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર ભાજપનો વિજય થયો છે આ ભાજપના કાર્યકર્તાઓએ કરેલી મહેનતનું પરિણામ છે જેથી હવે ભાજપના કાર્યકર્તાઓને કોઈનું ફિલ્ડમાં સાંભળવું ન પડે તેવી કામગીરી કરવાની જવાબદારી ચૂંટાયેલા દરેક સભ્યોની છે.






Latest News