વાંકાનેર ઢુવા માટેલ રોડ ઉપર અજાણી વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી, તપાસ શરૂ
SHARE
વાંકાનેર ઢુવા માટેલ રોડ ઉપર અજાણી વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી, તપાસ શરૂ
વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ રેસી સિરામિક પાસે ખુલ્લા પટમાં કોઈ અજાણી વ્યક્તિની લાશને સળગાવવામાં આવી હતી અને તેની જાણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતક વ્યક્તિના મૃત દેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ કરવામાં આવી છે.
વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ રેસી સીરામીક પાસે ખુલી જગ્યામાં કોઈ અજાણી વ્યક્તિની લાશ સળગવામાં આવી હતી જેથી સળગાવેલ હાલતમાં ત્યાં લાશ પડી હોય આ અંગેની રેસી સીરામીક પાસે રહેતા મૂળ ચોટીલા તાલુકાના સખપર ગામના રહેવાસી રાધેશ્યામ રઘુરામભાઈ બારોલીયા (36) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક વ્યક્તિના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.વી. ખાંભલા ચલાવી રહ્યા છે અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.