મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધે કરેલ આપઘાતના કેસમાં પકડાયેલા એક આરોપીના જામીન મંજૂર


SHARE















મોરબીમાં વૃદ્ધે કરેલ આપઘાતના કેસમાં પકડાયેલા એક આરોપીના જામીન મંજૂર

મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં વૃદ્ધે લખેલ ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્ની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં ચાર આરોપીને પકડ્યા હતા તે પૈકીનાં એક આરોપીની વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરલે છે

મોરબીના શનાળા રોડ પર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ સાયતાએ ગત 20/9 ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી ને આપઘાત કર્યો હતો ત્યાર બાદ મૃતક હરેશભાઈએ લખેલ સ્યુસાઇડ નોટના આધારે 15 શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જેમાં આરોપી તરીકે ગીરીશભાઈ કોટેચાનું નામ લખ્યું હતું જેથી કરીને પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ હતો ત્યાર બાદ તેની મોરબીના સિનિયર વકીલ મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી માહિકા સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ ગોપાલભાઈ ઓઝાની ધારદાર દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપી ગીરીશભાઈ છબીલદાસ કોટેચાના રૂપિયા 25,000 ના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપી તરફે સિનિયર વકીલ ગોપાલભાઈ ઓઝા તેમજ મેનાઝબેન પરમાર રોકાયેલ હતા.






Latest News