મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો


SHARE













મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો

ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં ત્રણ નવી એમ્બ્યુલન્સ (૧૦૮) ફાળવવામાં આવી છે. જે એમ્બ્યુલન્સ મોરબી જિલ્લામાં આવી પહોંચતા કલેક્ટર કે.બી.ઝવેરી, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ તથા એસપી રાહુલ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓએ વધામણા કરી આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર સંવેદનશીલ બની ગુજરાતના દરેક વ્યક્તિનું સારું આરોગ્ય જળવાઈ રહે અને જરૂર પડે આકસ્મિક સમયમાં આરોગ્ય સેવા સુલભ બની રહે તે માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આકસ્મિક સમયમાં આશીર્વાદ રૂપ બનતી ૧૦૮ એમ્બ્યુલન્સ  સેવા વધુ સુદ્રઢ્ય અને સુલભ બને તે માટે રાજ્યમાં ૧૦૮ ની સંખ્યા વધારવાનું બીડું સરકારે ઝડપ્યું છે.

 

હાલ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સુવિધામાં વધારો કરવા માટે આવડતા પૂરી થયેલ હોય કે વધારે ચાલે હોય તેવી એમ્બ્યુલન્સની જગ્યાએ ૧૦૦ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાને પણ ૩ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સની જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

૧૦૮ આકસ્મિક મેડીકલ સેવા એ અત્યારના સમયમા કોઈ પણ નાગરીક માટે અજાણ્યું નામ નથી અને કોઈ પણ મેડીકલ ઈમરજન્સીનાના સમયે લોકોને પહેલા ૧૦૮ એમ્બ્યુલન્સ જ યાદ આવે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં મોરબી જિલ્લામા કુલ ૧૨ એમ્બ્યુલન્સ (108) અને ૮  ખિલખિલાટ વાન કાર્યરત છે અને લોકોની આરોગ્યલક્ષી સુવિધા માટે હંમેશા ઊપલબ્ધ છે.








Latest News