મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મુરઘી લેવા કેમ ન આવ્યો કહી યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







મોરબીમાં મુરઘી લેવા કેમ ન આવ્યો કહી યુવાન ઉપર છરી વડે હુમલો

મોરબીના લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સીના પાછળના ભાગે આવેલ વજેપર-કાલીકા પ્લોટ નજીક રહેતા યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા યુવાનના પેટના ભાગે ઇજાઓ પહોંચી હતી.જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે મોડીરાત્રીના એકાદ વાગ્યે બનેલ બનાવમાં હાલ ત્રણ સામે ફરિયાદ લેવા માટે તજવીજ ચાલુ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર સ્મશાન રોડ ઉપર રહેતા સંજય કૈલાશભાઈ ચૌહાણ (ઉમર ૩૫) નામના યુવાનને તા.૪-૧૦ ના મોડીરાત્રીના એકાદ વાગ્યે પેટના ભાગે છરી લાગી ગઈ હતી. જેથી કરીને તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરાઇ છે.






Latest News