ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ પ્રકરણનો ખાર રાખીને અપહરણ કરીને 12 જેટલા શખ્સોએ ધોકા-પાઇપ વડે માર મારતા યુવાનની હત્યા


SHARE













મોરબીમાં પ્રેમ પ્રકરણનો ખાર રાખીને અપહરણ કરીને 12 જેટલા શખ્સોએ ધોકા-પાઇપ વડે માર મારતા યુવાનની હત્યા

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો જેનો ખાર રાખીને યુવતીના બે કાકા સહિતના ૧૨ જેટલા શખ્સો દ્વારા યુવાનના ઘર પાસે આવેલા વિસ્તારમાં આવ્યા હતા અને ત્યાર તેને ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો ત્યારબાદ તેનું રિક્ષામાં અપહરણ કરીને મોરબી તાલુકાના બેલા ગામ તરફ લઈ ગયા હતા અને ત્યાં સીએનજી પમ્પ નજીક બાવળની કાટમાં ધોકા વડે માર માર્યો હતો અને હાથે પગે તથા માથામાં માર માર્યો હોવાથી યુવાનને ગંભીર ઇજા થઇ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું જેથી હત્યાનો બનાવ બનેલ હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 12 જેટલા શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ ઇન્દિરાનગરમાં ખોડીયાર માતાના મંદિર પાસે રહેતા વિશાલભાઈ પરસોતમભાઈ માનેવાડિયા જાતે કોળી (23)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણ ઉર્ફે ઉગો આદગામા, નરેશ લાભુ વાઘેલા, કિશોર લાભુ વાઘેલા, વિશાલ કોળી, હકા અદગામા, કાના હકા, જયેશ જીવણ અદગામા, સુનિલ જયંતી જોગડીયા, મનીષ ઉર્ફે ભોલો, મેરિયો રબારી અને એક અજાણ્યો શખ્સ તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઇન્દિરાનગરમાં તેઓ જ્યાં રહે છે ત્યાં તેના ભાઈ મૃતક વિજય ઉર્ફે રવિ પરસોત્તમભાઈ માનેવાડીયા જાતે કોળી (20) વાળો હાજર હતો ત્યારે આરોપી પ્રવીણ ઉર્ફે ઉગો અને હકા અદગામા સહિતના ત્યાં આવ્યા હતા અને આ બંને શખ્સની ભત્રીજી સાથે ફરિયાદીના ભાઈને પ્રેમ સંબંધ હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો ઇન્દ્રાનગર વિસ્તારમાં બેઠા હતા ત્યારે ત્યાં આરોપીઓ ધોકા પાઇપ જેવા હથિયાર લઈને આવેલ હતા અને ફરિયાદીના ભાઈ વિજય ઉર્ફે રવિને શરીર ઉપર આડેધડ મારવામાં આવ્યો હતો તેમજ ઢસડીને તેનું રિક્ષામાં અપહરણ કરીને લઈ ગયા હતા ત્યારબાદ મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ સીએનજી પંપ નજીક બાવળની કાંટમાં લઈ જઈને ત્યાં તેને ધોકા વડે શરીર ઉપર આડેધડ હાથે પગે અને માથાના ભાગે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને વિજય ઉર્ફે રવિ પરષોત્તમભાઈ માનેવાડિયાનું મોત નીપજયું હતું અને હત્યાનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હત્યાના આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવા ચલાવી રહ્યા છે






Latest News