મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ!


SHARE









કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ!

મોરબીના જેતપર ગામે છેલ્લા 11 દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પ્રતિપોલ દીઠ પૂરતું વળતર મેળવવા માટે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમિયાન થોડા સમય પહેલા એક જાહેર કાર્યક્રમની અંદર કૃષિ મંત્રીએ કહ્યું હતું કે ખાનગી વીજ કંપનીના માણસોને કામ બંધ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે પરંતુ અફસોસની વાત એ છે કે જેતપર ગામે જ્યાં આંદોલન ચાલે છે તે ગામમાં ઉપવાસીના ખેતરની અંદર અત્યારે વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને આખા ખેતર અને ખેતીના પાકની વીજ કંપનીના માણસો દ્વારા પથારી ફેરવી નાખવામાં આવી છે

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ખાનગી વીજ કંપનીની વીજ લાઇનો પસાર થાય છે અને તેના વીજ પોલ ઉભા કરવા માટેની જે કામગીરી ચાલુ છે તેની સામે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે પાસેરામા પૂણી જેટલું વળતર ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ પોલની સામે આપી રહી છે અને આ વળતર ખેડૂતોને મંજૂર ન હોવાથી ગત તા 18 જૂનથી મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આજે આ આંદોલનનો 11 મો દિવસ છે. અત્યાર સુધીમાં બે થી ત્રણ વખત સરકાર તરફથી ખેડૂતોને મંત્રાણા કરવા માટે થઈને મૌખિક આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ ઉપવાસી છાવણી ખાતે બેઠેલા ખેડૂતો અને તેઓની કમિટી દ્વારા મુખ્યમંત્રી દ્વારા લેખિતમાં તે લોકોને મંત્રણા કરવા માટે બોલાવવામાં આવે ત્યાર પછી જ મંત્રણા કરવા માટે જવું છે તેવી સ્પષ્ટ વાત અધિકારીઓને કહી દેવામાં આવી છે

આજે આંદોલનના 11 માં દિવસે જો વાત કરીએ તો આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા નેહુલભાઈ અમૃતિયાના ખેતરની અંદર ખાનગી વીજ કંપનીનો વીજપોલ ઉભો કરવા માટેની કામગીરી ચાલી રહી છે ઉલેખનીય છે કે, કૃષિ મંત્રીએ અગાઉ જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ખાનગી વીજ કંપનીઓ જે વીજ પોલ ઊભા કરી રહી છે તેને કામ બંધ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે પરંતુ અફસોસની વાત એ છે કે આજની તારીખે પણ જેતપર ગામે ઉપવાસીના ખેતરની અંદર વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને બીજી બાજુ ન્યાયની અપેક્ષા સાથે ખેડૂતોનું આંદોલન પણ ચાલી રહ્યું છે. આ આંદોલનનો અંત ક્યારે આવશે અને ખેડૂતોને ક્યારે ન્યાય મળશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે કારણ કે જો રાજ્યના કૃષિ મંત્રી કામ બંધ રાખવા માટે સૂચના આપે છે તો પણ જો વીજ કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવામાં આવતા હોય તો ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રીને પણ ખાનગી વીજ કંપનીઓ વાળા ગણકારતા નથી તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે.






Latest News