મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા મીંયાણાના ખાખરેચી ગામે રસોઈ બનાવતા દાજી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE





માળીયા મીંયાણાના ખાખરેચી ગામે રસોઈ બનાવતા દાજી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે થોડા દિવસો પહેલા રસોઈ બનાવતા સમયે મહિલા દાજી ગયા હતા.જેથી સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને અહીં સારવાર દરમિયાન અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે આજે વહેલી સવારે મહિલાનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી જિલ્લામાં આવેલા માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા દમયંતીબેન મગનભાઈ જસાપરા પટેલ નામના ૫૪ વર્ષીય મહિલા ગત તા.૨૨-૯ ના રોજ સવારે સાતેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે કોઈ કારણોસર દાઝી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.અહીં સારવાર દરમિયાન દમયંતીબેન જસાપરા નામના મહિલાનું આજરોજ તા.૧૨-૧૦ ના રોજ વહેલી સવારે ૫:૩૦ વાગ્યાના અરસામાં મોત થયેલ છે.જેથી હોસ્પિટલ ખાતેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના એમ.એચ.વાસાણીએ પ્રાથમિક કાગળ તૈયાર કરીને આ બનાવની આગળની તપાસ માટે માળિયા મીંયાણા પોલીસને જાણ કરી હતી.

ઝેરી દવા પી જતા પરણીતા સારવારમાં

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ઓટાળા ગામે રમેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના ઉષાબેન રાજેશભાઈ ભુરીયા નામની ૨૩ વર્ષીય મહિલા ગઈકાલે રમેશભાઈની વાડીએ ઝેરી દવા પી ગયા હતા.જેથી ઉષાબેનને સારવાર માટે અહિંની મંગલમ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે કચ્છના રાપર તાલુકાના રામવાવ ગામે રહેતા પાર્વતીબેન ભારૂભાઈ આહિર નામના ૨૫ વર્ષીય મહિલા પણ કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે દવા પી ગયા હોવાથી તેણીને પણ સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બંને બનાવો સંદર્ભે મોરબી એ ડવિઝન પોલીસ મથકના એમ.એચ. વાસાણીએ પ્રાથમિક તપાસ કરીને સંલગ્ન પોલીસ સ્ટેશનમાં આ બનાવો અંગેની જાણ કરી હતી.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના ડાયમંડનગર (આમરણ) ગામે રહેતા યસ દલપતભાઈ પરમાર નામના પાંચ વર્ષના બાળકને ઇજાઓ પહોંચતા તેને મોરબીની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસ સૂત્રના જણાવ્યા પ્રમાણે તે તેના ઘર નજીક સાયકલ લઈને રમતો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા ઇજા પામતા સારવાર માટે લવાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબી તાલુકાના જ ખાનપર ગામે તા.૧૦ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં બાઇક લઈને જતા સમયે બાઇક આડે અચાનક કૂતરું આડું ઉતરતા બાઇક પલ્ટી મારી જવાના બનેલ બનાવમાં રાકેશ ખૂમસિંગ (ઉંમર ૧૪) અને અખિલેશ પારવિયા (ઉમર ૮) નામના બે તરૂણોને ઇજા પહોંચતા બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News