મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત


SHARE







માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત

માળિયા મિયાણા વિસ્તારમાં ધો. ૯ માં પ્રવેશથી વંચિત રહી ગયેલા ૧૯ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓમાં ચિંતા છે ત્યારે માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ હારુનભાઈ સંધવાણી દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક પગલા લેવા માટે રજૂઆત કરી છે અને શિક્ષણ વિભાગે હકારાત્મક અભિગમ દાખવ્યો છે.

માળિયા મિયાણા શહેરમાં આવેલી શ્રી જોશી હાઈસ્કૂલ અને નજીકની શ્રી મોટી બરાર મોડેલ સ્કૂલમાં ધોરણ-૯ ના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પહેલેથી જ મર્યાદા કરતા વધુ હોવાથી ૧૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શક્યો ન હતો. આ પરિસ્થિતિના કારણે આ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ બને અને તેમનું શિક્ષણ છૂટી જાય તેવી ગંભીર સ્થિતિ ઊભી થયેલ છે જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા પ્રમુખ હારુનભાઈ સંધવાણીએ વાલીઓ વતી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોરબી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં પ્રત્યુતરમાં ડી.ઈ.ઓ. કચેરી તરફથી હકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ મળ્યો છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી ગણીને શ્રી જોશી હાઈસ્કૂલ અથવા શ્રી મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે ધો. ૯ માં વધારાનો વર્ગ મંજૂર કરી આપવા અને વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ ફાળવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. શિક્ષણ વિભાગના આ હકારાત્મક નિર્ણયથી પ્રવેશથી વંચિત ૧૯ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં વ્યાપેલી ચિંતા દૂર થઈ છે અને મોટી રાહત મળી છે.






Latest News