મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી ન આપતી ચાર હોટલના સંચાલક સહિત છ સામે ગુના નોંધાયા


SHARE











મોરબી શહેર-તાલુકામાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી ન આપતી ચાર હોટલના સંચાલક સહિત છ સામે ગુના નોંધાયા

મોરબીમાં પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખનારા હોટલ સંચાલકો તથા પરપ્રાંતીય લોકોને મકાન ભાડે આપનારા મકાનમાલિકો દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી ન હોવાથી મોરબી શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ મળીને વધુ 6 ગુના નોંધાયા છે અને પોલીસે અંગેની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વિસ્તારોની અંદર આવેલ હોટલોમાં પરપ્રાંતિય શ્રમિકો કામ કરતા હોય ત્યાં એ ડિવીજન પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું અને ત્યારે પરપ્રાંતિય શ્રમિકોની માહિતી પોલીસને આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હોટલના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ બિસ્મિલ્લા હોટલના સંચાલક સહીમભાઇ કલામુદ્દીન શેખ (19) રહે. જુના બસ સ્ટેશન પાછળ મોરબી, ભક્તિનગર સર્કલ પાસે આવેલ પંજાબી તડકા હોટલના સંચાલક રાજેશભાઈ રમેશભાઈ દવે (59) રહે. સનાળા મોરબી, બીગ બોસ હોટલના સંચાલક દિવ્યેશભાઇ જયંતીલાલ જોશી (51) રહે. સ્વસ્તિક સોસાયટી નવા બસ સ્ટેશન સામે મોરબી, તુલસી હોટલના સંચાલક વલમજીભાઇ રામજીભાઈ મેરજા (65) રહે નરસંગ ટેકરી મંદિર પાસે રવાપર રોડ મોરબી, મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ 25 વારીયામાં મકાન ભાડે આપ્યું હતું જેની પોલીસની જાણ કરવામાં આવી ન હતી જેથી કરીને મકાન માલિક રજાકભાઈ અલારખાભાઇ ઓડિયા (49) રહે. પંચાસર રોડ રાજવીર નગર મોરબી વાળાની સામે ગુનો નોંધાયો છે મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ તુલસી રેસીડેન્સી મેઇન રોડ ઉપર મકાન નંબર બે માં ભાડુઆત રહેતા હતા જેની જાણ મોરબી તાલુકા પોલીસ કરવામાં આવી ન હતી જેથી કરીને મકાનમાલિક રમેશભાઈ અવચરભાઈ નકુમ (57) રહે. બોરીયા પાટી ભાંડીયાની વાડી વજેપર ગામ મોરબી વાળા સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે






Latest News