મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં ભાડુંઆત-શ્રમિકોની માહિતી ન આપતા વધુ સાત સામે કાર્યવાહી


SHARE











મોરબી-ટંકારામાં ભાડુંઆત-શ્રમિકોની માહિતી ન આપતા વધુ સાત સામે કાર્યવાહી

મોરબી અને ટંકારા તાલુકામાં મકાન અને દુકાન ભાડે આપીને તેમજ શ્રમિકોને કામે રાખીને પોલીસને તેની જાણ કરવામાં આવી ન હતી જેથી કલેક્ટરના જાહેરનામાના ભાંગના ગુના નોંધવામાં આવે છે તેમાં વધુ સાત આસામીઓ સામે જુદાજુદા પોલીસ સ્ટેશને ગુના નોંધાયેલ છે.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સીટી ખાતે ફ્લેટ ભાડે આપવામાં આવ્યા હતા જેની પોલીસને જાણ કરી ન હતી જેથી કરીને રવિ શામજીભાઈ કામાણી (34) રહે. ઉમા ટાઉનશીપ મંગલ જ્યોત ડી-બ્લોક 501 મોરબી અને અર્પિત કિશોરભાઈ પલાણ (31) રહે. વસંત પ્લોટ શેરી નં-3 મોરબી વાળા સામે પણ ગુનો નોંધાયો છે તો નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર શેરી નં-1 માં મકાન ભાડે આપવામાં આવ્યું હોવાથી મનોજસિંહ જયવીરસિંહ તોમર (42) રહે. યમુનાનગર મોરબી, ત્રાજપર પાસે બેંકવાળી શેરીમાં દુકાન ભાડે આપી હતી જેથી સુરેશભાઈ વિક્રમભાઈ વરાણીયા (49) રહે. પાવન પાર્ક સોસાયટી મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે. મકનસર ગામે આવેલ તુલસી રેસીડેન્સીમાં મકાન ભાડે આપ્યું હતું જેથી મુકેશભાઈ ડાયાભાઈ પ્રજાપતિ (47) રહે. મકનસર વાળા સામે ગુનો નોંધાયો છે. ટંકારા નજીક આવેલ દ્વારકાધીશ હોટલ સામે ભંગારના ડેલામાં શ્રમિકો કામ કરતા હતા તેની માહિતી પોલીસને આપી ન હતી જેથી સાવરલાલ હરજીરામ ગુર્જર (27) રહે. સરદારનગર ટંકારા અને આર્ય નગરમાં આવેલ શ્રી દેવ ભંગારના ડેલામાં કામ કરતાં શ્રમિકોની માહિતી પોલીસને આપી ન હતી જેથી કરીને મોહનલાલ છીતરજીભાઈ ગુર્જર (35) રહે, સરદારનગર ટંકારા વાળા સામે ગુનો નોંધાયો છે






Latest News