મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં ભાડુંઆત-શ્રમિકોની માહિતી ન આપતા વધુ સાત સામે કાર્યવાહી


SHARE













મોરબી-ટંકારામાં ભાડુંઆત-શ્રમિકોની માહિતી ન આપતા વધુ સાત સામે કાર્યવાહી

મોરબી અને ટંકારા તાલુકામાં મકાન અને દુકાન ભાડે આપીને તેમજ શ્રમિકોને કામે રાખીને પોલીસને તેની જાણ કરવામાં આવી ન હતી જેથી કલેક્ટરના જાહેરનામાના ભાંગના ગુના નોંધવામાં આવે છે તેમાં વધુ સાત આસામીઓ સામે જુદાજુદા પોલીસ સ્ટેશને ગુના નોંધાયેલ છે.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સીટી ખાતે ફ્લેટ ભાડે આપવામાં આવ્યા હતા જેની પોલીસને જાણ કરી ન હતી જેથી કરીને રવિ શામજીભાઈ કામાણી (34) રહે. ઉમા ટાઉનશીપ મંગલ જ્યોત ડી-બ્લોક 501 મોરબી અને અર્પિત કિશોરભાઈ પલાણ (31) રહે. વસંત પ્લોટ શેરી નં-3 મોરબી વાળા સામે પણ ગુનો નોંધાયો છે તો નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર શેરી નં-1 માં મકાન ભાડે આપવામાં આવ્યું હોવાથી મનોજસિંહ જયવીરસિંહ તોમર (42) રહે. યમુનાનગર મોરબી, ત્રાજપર પાસે બેંકવાળી શેરીમાં દુકાન ભાડે આપી હતી જેથી સુરેશભાઈ વિક્રમભાઈ વરાણીયા (49) રહે. પાવન પાર્ક સોસાયટી મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે. મકનસર ગામે આવેલ તુલસી રેસીડેન્સીમાં મકાન ભાડે આપ્યું હતું જેથી મુકેશભાઈ ડાયાભાઈ પ્રજાપતિ (47) રહે. મકનસર વાળા સામે ગુનો નોંધાયો છે. ટંકારા નજીક આવેલ દ્વારકાધીશ હોટલ સામે ભંગારના ડેલામાં શ્રમિકો કામ કરતા હતા તેની માહિતી પોલીસને આપી ન હતી જેથી સાવરલાલ હરજીરામ ગુર્જર (27) રહે. સરદારનગર ટંકારા અને આર્ય નગરમાં આવેલ શ્રી દેવ ભંગારના ડેલામાં કામ કરતાં શ્રમિકોની માહિતી પોલીસને આપી ન હતી જેથી કરીને મોહનલાલ છીતરજીભાઈ ગુર્જર (35) રહે, સરદારનગર ટંકારા વાળા સામે ગુનો નોંધાયો છે






Latest News