મોરબીમાં પરણીતાને શરરિક માનસિક ત્રાસનો કેસ કોર્ટમાં ચાલી જતાં પતિ સહિત ૬ નો નિર્દોષ છુટકારો
SHARE
મોરબીમાં પરણીતાને શરરિક માનસિક ત્રાસનો કેસ કોર્ટમાં ચાલી જતાં પતિ સહિત ૬ નો નિર્દોષ છુટકારો
મોરબી નાની વાવડી ગામે પરણીતાને શરરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાયેલ હતી અને ૬ વ્યક્તિ સામે ગુનો નોંધાયેલ હતો. જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં આરોપીઓના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને નીદોર્ષ છોડી મૂકવાનો આદેશ કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તા. ૨૩/૦૯/૨૦૧૭ નાં રોજ ફરિયાદી સંગીતાબેન પ્રેમજીભાઈ કાવરે એવી ફરીયાદ કરી હતી કે, આરોપીઓએ ફરિયાદીને દુઃખ ત્રાસ આપી માર મારવાની તેમજ તેમની ગેરહાજરીમાં તેમના પતિ પ્રેમજીભાઈ ગણેશભાઈ કાવરે બીજા લગ્ન કરેલ અને ફરીયાદીનો ત્યાગ કરેલ હોય તથા બીજા આરોપીઓએ એકબીજાની મદદરૂપ થઈ આરોપીઓએ ગુનો કરેલ હતો અને તે બાબતનો ગુનો રજીસ્ટર કરી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ કામના આરોપીઓ અંગેનો કેશ મોરબીના જુડીશ્યલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં શરૂ થયેલ હતો અને આ કામના આરોપી પ્રેમજીભાઈ ગણેશભાઈ કાવર, માધવી રમેશભાઈ રાજકોટીયા, ગણેશભાઈ ગોવિંદભાઈ કાવર, કાંતિભાઈ હીરાભાઈ અઘારા, અરજણભાઇ વનુભાઈ ફૂલતરિયા, રમેશભાઈ કેશવજીભાઇ અઘારા વતી મોરબી જીલ્લાના યુવા વકીલ વિજયકુમાર વી. શેરશિયા રોકાયેલ હતા. અને કોર્ટમાં દલીલ અને તમામ પુરાવાના અંતે આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરતો પુરાવો ન હતો જેથી આરોપીઓને નિર્દોષ છોડવા હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે વિજયુમાર વી. શેરશિયા રોકાયેલ હતા.









