મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેરમાં આગામી તા.૯ ના તાલુકા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકનું આયોજન


SHARE







મોરબીના વાંકાનેરમાં આગામી તા.૯ ના તાલુકા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકનું આયોજન

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર તાલુકા સંકલન તથા ફરિયાદ સમિતિની સંરચના, કાર્યસૂચિ તથા કાર્યવિધિ અંગેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તથા તાલુકાની જનતાને સ્પર્શતા વિવિધ સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટેની ચર્ચા વિચારણા કરવા સ્થાનિક રીતે વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે થઈ શકે તે માટે તાલુકા સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.જે અનુસાર મોરબી જિલ્લામાં આ સમિતિની બેઠક દર મહિનાના પ્રથમ શનિવારે બોલાવવાની હોય છે. પરંતુ તે દિવસે જાહેર રજા હોવાથી અને રાજ્ય સરકાર દ્વારા બીજા શનિવારે કચેરી કાર્યરત હોય, તો તે મુજબ આગામી નવેમ્બર- ૨૦૨૪ ના માસની બેઠક આગામી તા.૯-૧૧ ના રોજ ૧૨ કલાકે પ્રાંત અધિકારી, વાંકાનેરના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન- વાંકાનેરના સભાખંડ ખાતે યોજવામાં આવનાર છે. તેમ મામલતદાર, વાંકાનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 






Latest News